Sat,21 September 2024,6:10 am
Print
header

રૂદ્રપ્રયાગમાં જમીન ધસી પડતાં કાર દટાઈ, ચાર ગુજરાતીઓનાં મોત- Gujarat post

રૂદ્રપ્રયાગઃ કેદારનાથ હાઈવે પર તરસાલી પાસે એક પર મોટી ચટાન પડતાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જેમાંથી 4  ગુજરાતીઓ છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું કે 10 ઓગસ્ટની સાંજે ફાટા (તરસાલી) પાસે એક કાર પર ભારે પથ્થર અને કાટમાળ પડ્યો હતો. લોકો કાટમાળમાં દટાયા હોવાની માહિતી મળતાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, તહસીલદાર ઉખીમઠ, ડીડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી હતી.

જેસીબીથી કાટમાળ હટાવવામાં આવ્યો હતો. એક સ્વિફ્ટ ડિઝાયર UK- 07 TB6315 કાટમાળમાં દટાયેલી મળી આવી. આ કારમાં સવાર તમામ 5 લોકોનાં મોત થયા છે.મૃતકોમાં જીગર મોદી, મહેશ દેસાઇ, મનીષ કુમાર, મિન્ટુ કુમાર, દિવ્યાંશનો સમાવેશ થાય છે.તેમની પાસે મળી આવેલા ઓળખ પત્રો પરથી તેમની ઓળખ થઈ છે. આ તમામ યાત્રિકો અમદાવાદથી અહીં ચારધામ યાત્રાએ ગયા હતા. મૃતકોમાં 3 ઘોસાસરના અને એક યુવક ખેડાના મહેમદાવાદનો રહેવાસી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch