(Photo Courtesy: Facebook)
Rishi Bharti Bapu News: અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમના વહીવટને લઇને વિવાદ ઉભો થયો છે. મહામંડલેશ્વર હરિહરાનંદજીએ આશ્રમનો કબ્જો લઇ શિષ્ય ઋષિ ભારતી બાપુ સામે વહીવટમાં ગોટાળાના આક્ષેપો લગાવ્યા છે. ત્યારે હવે ઋષિ ભારતીએ હરિહરાનંદજીના આક્ષેપો ફગાવી તેમના પર પલટવાર કર્યો છે.દરમિયાન આજે ઋષિ ભારતીબાપુના સમર્થનમાં બેઠક યોજાશે. લંબે નારાયણ આશ્રમમાં સાધુ-સંતોની બેઠક મળશે. તેમાં ઋષિ ભારતીબાપુને અપમાનિત કરવા મુદ્દે ચર્ચા થશે. જોકે આ બેઠકમાં કોણ કોણ હાજર રહેશે તે મહત્વનું છે.
હરિહરાનંદ બાપુએ ઋષિભારતીએ ગેરવહીવટ કર્યાનો મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ટ્રસ્ટની સંપત્તિનો કોઈ વિવાદ નથી, વહીવટનો વિવાદ છે. ઋષિભારતી બાપુએ જાતિ અંગે કરેલા આક્ષેપને હરિહરાનંદ બાપુએ ફગાવ્યાં છે. ત્યારે ઋષિ ભારતીએ હરિહરાનંદજીના આક્ષેપો ફગાવી તેમના પર પલટવાર કર્યો છે. ઋષિ ભારતીએ જણાવ્યું કે મારે સંપત્તિ બાબતનો કોઇ ઝઘડો નથી. હું સંપત્તિ માટે સાધુ નથી બન્યો,પરંતુ ઉત્તરાધિકારીનો વિવાદ હવે જ્ઞાતિ આધારિત બની ગયો છે. મારી સાથે જ્ઞાતિ-જાતિનો ભેદભાવ રાખવામાં આવે છે.
બે દિવસ પહેલા સરખેજ આશ્રમના મેનેજર રામભાઇ ગઢવીએ આરોપ લગાવ્યાં હતા કે, ઋષિ ભારતી બાપુ મર્યાદામાં ન હતા, તેમજ તેમના રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. વિશ્વેશ્વરી ભારતી માતાના રૂમમાંથી પણ વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, સાધુ-સંતો સંત વેશમાં જ હોવા જોઈએ, બંને લોકો અલગ વેશમાં હતા. વિશ્વેશ્વરી ભારતી માતા પોતાને સંત કહે છે, પરંતુ એમને એક દીકરી પણ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં વન નેશન, વન ઇલેક્શન મંજૂર: 191 દિવસમાં તૈયાર કરાયેલા રિપોર્ટમાં આપવામાં આવ્યાં છે આ સૂચનો | 2024-09-18 18:57:23
ડસ્ટબિનમાંથી મળ્યું અંદાજે 56 લાખ રૂપિયાનું સોનુ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીએ દેખાડી ઇમાનદારી | 2024-09-18 12:04:25
J&K Election: જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન, મહિલા મતદારોમાં વિશેષ ઉત્સાહ- Gujarat Post | 2024-09-18 11:39:45
US Elections 2024: આગામી સપ્તાહે પીએમ મોદી સાથે મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, ચૂંટણી પ્રચારમાં થઈ જાહેરાત- Gujarat Post | 2024-09-18 11:36:42
લેબનોન પેજર બ્લાસ્ટમાં 9 લોકોનાં મોતથી ઇઝરાયેલ સામે હિઝબુલ્લા લાલઘૂમ, ઈરાનના રાજદૂત પણ બન્યાં બ્લાસ્ટનો શિકાર | 2024-09-18 09:03:02
નવી એક અફવા....સીએમ ભૂપેન્દ્ર પટેલ એક મહિના માટે રજા પર જવાના છે તેવી અફવા સામે હર્ષ સંઘવીએ આપી ચેતવણી | 2024-09-17 20:35:30
રાજકોટઃ સ્વ.કેશુભાઈ પટેલની પુણ્યતિથી પર આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા યોજાશે વિશાળ સ્મરણાંજલી સભા | 2024-09-17 19:11:34
જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખે હપ્તાખોરી કરી, ભાજપથી નારાજ જવાહર ચાવડાનો પીએમ મોદીને પત્ર | 2024-09-17 14:26:49
સુરેન્દ્રનગરના 55 વર્ષના આ સરકારી બાબુએ લાંચ લીધી અને ગુજરાત ACB એ ઝડપી લીધા | 2024-09-17 14:00:33
આ રહ્યો મોદીનો ગુજરાત કાર્યક્રમ... ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર ગુજરાત આવી રહ્યાં છે મોદી | 2024-09-14 11:25:50
નવરાત્રીમાં આધાર કાર્ડ જોઈને જ મળશે ગરબામાં એન્ટ્રી, લવ જેહાદની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય | 2024-09-13 08:40:13
અમદાવાદના સરખેજમાંથી અંદાજે 1 કરોડ રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું, બે આરોપીઓ સકંજામાં | 2024-09-12 11:29:29
ACB એ અમદાવાદમાં 3 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશ, ESICના આસિ.ડાયરેકટરની ધરપકડ | 2024-09-09 19:33:32