Sat,21 September 2024,8:42 am
Print
header

અમદાવાદમાં અકસ્માત સર્જનારા નબીરાનો પિતા દુષ્કર્મનો આરોપી, CM ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનો માટે કરી આ જાહેરાત

અમદાવાદઃ શહેરના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 લોકોનાં મૃત્યું થયા છે. અકસ્માતમાં કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાન સહિત 9ના મૃત્યું નિપજ્યાં છે અને 15થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો સામેલ છે. અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સ પ્રજ્ઞેશ પટેલનો પુત્ર છે. તેનું નામ તથ્ય પટેલ છે. આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને દુષ્કર્મ આચર્યુ હોવાનો કેસ છે.

આ અકસ્માત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલો અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત
પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોનાં મોત
જગુઆર કારનો ચાલક તથ્ય પટેલ ફરાર
કારની સ્પીડ 160 કિ.મીની હોવાનો અંદાજ
લોકોમાં જોરદાર રોષ, આરોપીને કડક સજા થવી જોઇએ

ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. દરમિયાન જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા. કારની સ્પીડ 160 કિમીથી વધારે હોવાના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં મોટાભાગના પીજીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch