Sun,07 July 2024,6:56 am
Print
header

રાહુલે હિન્દુઓને હિંસક કહ્યાં બાદ ઘર્ષણ, પાલડીમાં કોંગ્રેસ કાર્યાલય બહાર જોરદાર પથ્થરમારો, અનેક લોકોની અટકાયત

અમદાવાદઃ રાહુલ ગાંધીએ સંસદમાં ભગવાન શિવનો ફોટો બતાવીને અનેક ઉદાહરણ આપ્યાં અને અંતે મોદી-ભાજપ-સંઘનું નામ લઇને
હિન્દુઓને હિંસક કહ્યાં, આ મામલે હવે ભાજપ લાલઘૂમ છે અને અમદાવાદ કોંગ્રેસ ભવન, પાલડીમાં જોરદાર ઘર્ષણ થયું છે, અહીં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા, કોંગ્રેસ ભવન બહાર જ પથ્થરમારો થયો હતો, પોલીસે બંને જૂથોના અનેક લોકોની અટકાયત કરી છે.

કોંગ્રેસ નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલે ભાજપને ચેલેન્જ આપ્યાં બાદ ભાજપના લોકો અહીં પહોંચ્યાં હતા અને ધમાલ મચાવી હતી. સામે આવીને વિરોધ કરવાનો પડકાર મળતા ભાજપના કાર્યકરો અહીં પહોંચ્યાં હતા, ત્યાર બાદ સ્થિતી વધુ બગડી હતી અને બંને જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો.

ગઇકાલે પણ બજરંગદળના કાર્યકરોએ પાલડી કોંગ્રેસ ઓફિસમાં જઇને રાહુલના ફોટો પર શાહી લગાવી હતી અને કોંગ્રેસ વિરોધી પોસ્ટર્સ માર્યાં હતા. હવે આ મામલો રાજકીય રંગ લઇ રહ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch