અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભક્તોની આસ્થા સાથે ચેડાં કરવામાં આવ્યાં હોવાની ઘટના સામે આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલ ફેઈલ જતાં મંદિરમાં ભક્તોને આપવામાં આવતા મોહનથાળના પ્રસાદમાં અખાદ્ય ઘીનો ઉપયોગ કરાયો હોવાનો ભાંડો ફૂટી ગયો છે.મંદિરમાં મોહનથાળનો પ્રસાદ તૈયાર કરતી એજન્સી મોહિની કેટરર્સ સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડના માર્કાનું ડુપ્લીકેટ લેબલ બનાવી તેનો ઉપયોગ કરીને મંદિર ટ્રસ્ટ સાથે છેતરપિંડી કરાઇ છે. ઘી અખાદ્ય હોવા છતાં તેનો ઉપયોગ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. આ મામલો હવે પ્રકાશમાં આવ્યો છે પરંતુ તેની ફરિયાદ ગત 30મી સપ્ટેમ્બરના રોજ અંબાજી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
સાબર ડેરીના લેબોરેટરી વિભાગમાં નોકરી કરતાં જિજ્ઞેશ પટેલે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં જણાવ્યું કે, પાલનપુર સર્કલના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ તરફથી અખાદ્ય ઘી અંગેની નોટીસ મળી હતી. આ નોટીસનો જવાબ રજૂ કરતાં ફૂડ વિભાગને જણાવ્યું હતું કે, આ ઘીનું ઉત્પાદન કે વેચાણ સાબર ડેરી દ્વારા થયું નથી. ઘી ના ડબ્બા પર જે બેચ નંબર લખવામાં આવ્યો છે તે અમારી ડેરીની પદ્ધતિ દ્વારા લખવામાં આવ્યો નથી. અમારી ડેરી દ્વારા ઘી પેક કરવા માટે જે ડબ્બા વપરાય છે તે આ ચેકીંગ દરમિયા પકડવામાં આવેલ ડબ્બા નથી.પ્રોડકટનું વર્ણન સાબરડેરી દ્વારા ઈજેટ પ્રીન્ટીંગથી કરવામાં આવે છે. જયારે ફૂડ ઈન્સ્પેકટર દ્વારા પકડવામાં આવેલ ઘીના ડબ્બા પર પ્રોડકટનું વિવરણ ઈન્કજેટ પ્રીન્ટીંગથી કરવામાં આવેલું નથી.
ગઈકાલે દિવસ પર મુદ્દો ચગ્યા બાદ જીસીએમએમએફ દ્વારા જણાવાયું કે, અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવા માટે ઉતરતી કક્ષાના ઘીનો પુરવઠો પૂરો પડાતો હોવા અંગેના અહેવાલો અમારા ધ્યાનમાં આવ્યાં છે. આ ગંભીર બાબત અંગે હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ નિમ્ન કક્ષાના ઘીનો પુરવઠો મોહિની કેટરર્સ દ્વારા પૂરો પાડવામાં આવતો હતો. મોહિની કેટરર્સ દ્વારા મંદિરના ટ્રસ્ટને પૂરા પાડવામાં આવતા 15 કિલોના ઘીના ડબ્બા પર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના બનાવટી લેબલ લગાવાયા હતાં. ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ ડબ્બાઓ ઉપર છાપવામાં આવેલ બેચ નંબર, ડબ્બાઓના સ્પેસિફિકેશન, ડબ્બાઓ ઉપર ચોટાડવામાં આવતા લેબલ અમૂલ ફેડરેશન દ્વારા નક્કી કરવામાં આવતા ધારા ધોરણો મુજબ નથી.
મોહિની કેટરર્સ પર કોના ચાર હાથ છે તેના નામ પર હવે નજર રહેશે.ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈભક્તોએ મોહનથાળનો પ્રસાદ ખરીદ્યો હતો. જેના કારણે હવે ભક્તોની આસ્થા સાથે પણ ખિલવાડ થયો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ક્ષત્રિય મહાસંમેલનમાં બબાલ, રૂપાલા સામે સૌથી વધુ લડેલા પદ્મીની બા વાળાએ આગેવાનોને લીધા આડેહાથ | 2024-09-20 17:52:04
ઘરના દરવાજા પાસે અચાનક ધડાકા સાથે ફાટી જમીન, જોત જોતામાં મહિલા સમાઈ ગઈને પછી..... | 2024-09-20 11:39:22
ક્ષત્રિયોના નવા સંગઠન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી- Gujarat Post | 2024-09-20 11:34:54
Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા, સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી | 2024-09-20 11:16:42
આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- આ અમાનવીય વર્તન | 2024-09-20 09:06:02
સુરતીઓ સાવધાન રહેજો...પરીએ યુવકનો ન્યૂડ વીડિયો બનાવીને પૈસા પડાવ્યાં, કંટાળીને યુવકે આપઘાત કરી લીધો | 2024-09-19 08:36:05
ડસ્ટબિનમાંથી મળ્યું અંદાજે 56 લાખ રૂપિયાનું સોનુ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીએ દેખાડી ઇમાનદારી | 2024-09-18 12:04:25
ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ જોરદાર પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાગી લાંબી લાઈનો | 2024-09-20 09:02:28
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59
જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખે હપ્તાખોરી કરી, ભાજપથી નારાજ જવાહર ચાવડાનો પીએમ મોદીને પત્ર | 2024-09-17 14:26:49
સુરેન્દ્રનગરના 55 વર્ષના આ સરકારી બાબુએ લાંચ લીધી અને ગુજરાત ACB એ ઝડપી લીધા | 2024-09-17 14:00:33
ઉદ્ઘઘાટનના થોડા કલાક પહેલા જ ભૂજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનું બદલાયું નામ, પીએમ મોદીએ આપી લીલીઝંડી- Gujarat Post | 2024-09-16 14:52:43
Kheda News: કઠલાલના મહુધામાં ઘર્ષણ...ભડકાઉ પોસ્ટ મામલે ફરિયાદ કરીને આવતા યુવકો પર 2000 લોકોના ટોળાએ કર્યો હુમલો- Gujarat Post | 2024-09-15 11:42:07