Latest Ahmedabad News: વડતાલ સ્વામિનારાયણ મંદિર વધુ એક વખત ચર્ચામાં આવ્યું છે. મંદિરમાં રહેતા સાધુએ મંદિર બનાવવાના નામે 1.76 કરોડની છેતરપિંડી આચરી હતી. સ્વામીએ અમદાવાદમાં જમીન લે-વેંચનું કામ કરતા બે વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને બાયડના લીંબ ગામમાં સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે 1.76 કરોડ રૂપિયા પડાવવાના મામલે સીઆઇડી ક્રાઈમ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સાધુ, ખેડૂત અને મળતિયાઓ સહિત 8 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદમાં સોલા સાયન્સ સીટી રોડ પર રહેતા ઘનશ્યામસિંહ વાઘેલા ભાગીદાર દિલીપ પટેલ વટવામાં જમીન-વેચની ઓફિસ ધરાવે છે. ડિસેમ્બર 2023માં તેમની ઓફિસ પર સુરતના સુરેશ ઘોરી અને લાલજી ઢોલા આવ્યાં હતા. તેમણે ઘનશ્યામસિંહને જણાવ્યું હતું બંને સુરતમાં જમીનનું કામ કરે છે. વડતાલ સ્વામિનારાયણ સંસ્થાને પોઈચા જેવું ભવ્ય મંદિર અને ગૌશાળા બનાવવા માટે 500થી 700 વિઘા જમીનની જરૂર છે. પરંતુ સાધુ ખેડૂતો પાસેથી સીધી જમીન ખરીદતા નથી. જેથી જો તમે રોકાણ કરશો તો ફાયદો થશે. આ માટે આણંદના ચિખોદરા ખાતે દેવ પ્રકાશ ઉર્ફે ડી.પી. સ્વામીની ગૌશાળા પર મળીને ડીલ કરીએ. ઘનશ્યામસિંહ વાઘેલા ભાગીદાર દિલીપ પટેલ સુરતથી આવેલી બે વ્યક્તિઓ સાથે આણંદ ગયા હતા. જ્યાં તેમની મુલાકાત દેવ પ્રકાશ સ્વામી, માધવપ્રિય સ્વામી, વિજય પ્રકાશ સ્વામી અને જય કૃષ્ણ સ્વામી સાથે થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીના શિષ્ય છે.
અમારે બાયડ પાસે આવેલા લીંબ અને માથાસુરિયા ગામમાં મોટું મંદિર ગૌશાળા બનાવવાની છે. જમીન તમે ખરીદીને અમને આપશો એટલે દુબઈથી 5 કરોડ રૂપિયાનું દાન આવશે. તે તમને આપીને સંસ્થા તમારી પાસેથી જમીન લઈને મંદિર બનાવશે. આ વાતોથી ઘનશ્યામસિંહને વિશ્વાસ આવ્યો હતો. તેમણે દહેગામ ભૂપેન્દ્ર પટેલ અને બાયડના વિજયસિંહ ચૌહાણ પાસેથી જમીન ખરીદી અંગેનો સમજૂતી કરાર કરીને 1.11 કરોડ રૂપિયા ચુકવી આપ્યાં હતા.
સ્વામીઓની હરકત શંકાસ્પદ જણાતા તેમણે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, વિજયસિંહ ચૌહાણ અને ભુપેન્દ્ર પટેલે કોઈ ખેડૂતો પાસેથી જમીન ખરીદી નથી અને તે માત્ર નાણાં પડાવવા માટે સાધુ સાથેની ગેંગમાં કામ કરતા હતા. બીજી તરફ ઘનશ્યામસિંહને જાણવા મળ્યું હતું કે આ ગેંગ દ્વારા ગુજરાતમાં આણંદ, વિરમગામ, અમદાવાદ, નડિયાદ અને સુરત સહિતના વિસ્તારોમાં ગુનો આચરવામાં આવ્યાં હતા. જેના આધારે તેમણે સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરીને ગુનો નોંધાવતા પોલીસે વડતાલ સ્વામીનારાયણ સંસ્થાના ચાર સાધુ સહિત 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
PM Modi USA Visit: પીએમ મોદીએ જો બાઇડેનને આપ્યું ચાંદીની ટ્રેનનું મોડલ, જિલ બાઇડેનને આપી પશ્મીના શાલ- Gujarat Post | 2024-09-22 12:59:12
IND vs BAN: ભારતે પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, સીરિઝમાં 1-0ની લીડ- Gujarat Post | 2024-09-22 12:55:18
PM Modi US Visit: PM મોદીની અમેરિકામાં મેગા ઈવેન્ટ, લોંગ આઈલેન્ડમાં ભારતીયોને સંબોધિત કરશે | 2024-09-22 10:28:04
અમેરિકામાં PM મોદીએ હાવભાવ દ્વારા ચીનને ભણાવ્યો પાઠ અને QUAD નો હેતુ જણાવ્યો | 2024-09-22 09:58:06
Rajkot News: રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ ફોટો શેર કરાયા, મેયર સહિત અન્ય મહિલાઓ પણ હતા ગ્રુપમાં- Gujarat Post | 2024-09-21 17:15:21
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલની આગાહી, નવરાત્રીમાં ખેલૈયાની મજા બગાડી શકે છે મેઘરાજા- Gujarat Post | 2024-09-21 17:10:34
રાજકોટનો સનસનીખેજ કિસ્સો....સોની પરિવારના 9 સભ્યોએ એક સાથે આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2024-09-21 14:32:17
ગાંધીનગરમાં ફરજ બજાવતા IPS ધર્મેન્દ્ર શર્મા સામે મહિલાએ કરી દુષ્કર્મની ફરિયાદ, અધિકારીએ કહ્યું આ પૈસા પડાવવાનું ષડયંત્ર ! | 2024-09-21 11:41:54
સુરત નજીક રેલ્વે ટ્રેક સાથે ચેડાં, સમયસર જાણ થતા ષડયંત્રનો થયો પર્દાફાશ | 2024-09-21 10:05:41
વડોદરામાં પૂરના પાણીથી અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, મળશે આટલી સહાય- Gujarat Post | 2024-09-12 15:34:58
આ મામલતદાર ઓફિસમાં ACB ની ટ્રેપ, કર્મચારી 5500 રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયો | 2024-09-10 19:37:26
Vadodara: પૂરના પાણી ઓસર્યા બાદ પણ ભાજપના કોઈ કેન્દ્રીય નેતા નહીં દેખાતા લોકોમાં આક્રોશ | 2024-09-08 13:14:01