ત્રણ મહિનામાં રૂ.3550 કરોડથી વધુ દાન મળ્યું
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી 5 જ દિવસમાં 3.17 કરોડ રૂપિયાનું દાન મળ્યું
એક દિવસમાં રૂ.15 લાખથી વધુ રકમ દાનમાં મળી રહી છે
અયોધ્યાઃ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના પાંચ દિવસ બાદ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાના દર્શન કરવા માટે લાખો ભક્તોની ભીડ ઉમટી રહી છે. અયોધ્યામાં આજે સવારે આછું ધુમ્મસ જોવા મળ્યું હતું. કડકડતી ઠંડી છતાં ભક્તોની ભીડ અહીં આવી રહી છે. અને વહીવટીતંત્ર તબક્કાવાર ભક્તોને રામલલાના દર્શન કરાવી રહ્યું છે.
22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘઘાટન બાદથી અત્યાર સુધી રામલલાના દર્શન કરવા આવનારા ભક્તોની સંખ્યામાં ઘટાડો નથી થઈ રહ્યો. મંદિરની બહાર ભક્તોની ભારે ભીડ છે.ભક્તોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભગવાન રામના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે.
વિશ્વ હિંદુ પરિષદના મીડિયા પ્રભારી શરદ શર્માના જણાવ્યાં અનુસાર, રામલલાની મંગળા આરતી સવારે 4.30 વાગ્યે અને શૃંગાર આરતી (ઉત્થાન આરતી) સવારે 6.30 વાગ્યે થાય છે. સવારે 7 વાગ્યાથી ભક્તોના દર્શન શરૂ થશે. તેમણે જણાવ્યું કે ભોગ આરતી બપોરે 12 વાગ્યે, સંધ્યા આરતી સાંજે 7:30 વાગ્યે અને રાત્રિ ભોગ 9 વાગ્યે કરવામાં આવે છે. ભગવાનની શયન આરતી રાત્રે 10 કલાકે થશે.
મંદિરને મળ્યું કરોડો રૂપિયાનું દાન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું છે કે રામ મંદિરના ભૂમિપૂજન પછી જે ફંડ સમર્પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તે એક મહિનાના અભિયાનમાં લગભગ 3550 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, ભગવાનની સંપત્તિ કુલ રૂ. 4500 કરોડની આસપાસ થઇ છે. મંદિર નિર્માણ માટે કરોડો રૂપિયા વાપરવામાં આવ્યાં છે. હાલમાં એક દિવસના 15 લાખ રૂપિયા મંદિરને મળી રહ્યાં છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- અમાનવીય વર્તન | 2024-09-20 09:06:02
ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાંબી લાગી લાઈનો | 2024-09-20 09:02:28
અમેરિકામાં વ્યાજદરમાં થયેલા ઘટાડાની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર, માર્કેટની શરૂઆત જોરદાર તેજીથી થઈ | 2024-09-19 10:04:35
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59
બિહારઃ જ્યાં પહેલા મકાનો હતા ત્યાં હવે રાખ બચી છે... દલિત કોલોનીમાં લાગી આગ, લોકોએ ડરમાં વિતાવી રાત | 2024-09-19 08:58:15
દેશમાં વન નેશન, વન ઇલેક્શન મંજૂર: 191 દિવસમાં તૈયાર કરાયેલા રિપોર્ટમાં આપવામાં આવ્યાં છે આ સૂચનો | 2024-09-18 18:57:23
લોહિયાળ બદલો... હિઝબુલ્લાએ 5 મીનિટમાં ઈઝરાયેલ પર 20 રોકેટ છોડ્યાં, જાણો- ઈઝરાયેલે શું કહ્યું? | 2024-09-19 09:10:42
US Elections 2024: આગામી સપ્તાહે પીએમ મોદી સાથે મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, ચૂંટણી પ્રચારમાં થઈ જાહેરાત- Gujarat Post | 2024-09-18 11:36:42