નવી દિલ્હીઃ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ NEET-UGમાં ગેરરીતિઓ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના માળખામાં ફેરબદલને લઈને કોંગ્રેસે મોદીની સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અન્યો પર જવાબદારી નાખવાને બદલે ટોચનું નેતૃત્વ કરે. સરકારે તે જાતે લેવું જોઈએ. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો કે એનટીએ એક સ્વાયત્ત સંસ્થા હોવાનું કહેવાય છે પરંતુ ભાજપ- આરએસએસના હિતો માટે તે બનાવવામાં આવ્યું છે.
મોદી સરકારના ટોચના નેતૃત્વએ NEET કૌભાંડની જવાબદારી લેવી જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષે 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે મોદી સરકારે કંઇ કરવું જોઇએ, કેન્દ્ર સરકારે શનિવારે NTAના મહાનિર્દેશક સુબોધ સિંહને હટાવીને મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં થયેલી ગેરરીતિઓની તપાસ CBI ને સોંપી દીધી છે.
In the NEET Scam, the buck stops at the doorstep of the top echelons of the Modi Govt.
— Mallikarjun Kharge (@kharge) June 22, 2024
Shuffling the bureaucrats is no solution to the endemic problem in the Education system rotted by the BJP.
NTA was projected to be an autonomous body, but in reality was made to serve the…
શિક્ષણ મંત્રાલયે NEET-PG પરીક્ષાઓ પણ મુલતવી રાખી છે, જે તાજેતરના સમયમાં મુલતવી રાખવામાં આવેલી ચોથી સ્પર્ધાત્મક પરીક્ષા છે. ખડગેએ કહ્યું કે NEET-PG પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે અને છેલ્લા 10 દિવસમાં તમામ 4 પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અથવા સ્થગિત કરવામાં આવી છે. પેપર લીક, ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને શિક્ષણ માફિયાઓ આપણી શિક્ષણ પ્રણાલીમાં પ્રવેશ્યા છે. આ મોડેલથી કરેલી તપાસ કોઈ પરિણામ નહીં આપે કારણ કે અસંખ્ય યુવાનો તેનાથી પીડાઈ રહ્યાં છે.
હવે NEET-PG પણ મોકૂફ !
NEET-PG પરીક્ષાઓ મોકૂફ રાખવાની ટીકા કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પેપર લીક ગેંગ અને શિક્ષણ માફિયા સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાચાર છે. રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, હવે NEET-PG પણ મુલતવી ! નરેન્દ્ર મોદીના શાસનમાં શિક્ષણ પ્રણાલી બરબાદ થઈ ગઈ તેનું આ વધુ એક કમનસીબ ઉદાહરણ છે. ભાજપના શાસનમાં વિદ્યાર્થીઓ તેમની કારકિર્દી બનાવવા માટે અભ્યાસ કરતા નથી પરંતુ તેમના ભવિષ્યને બચાવવા માટે સરકાર સાથે લડવાની ફરજ પાડવામાં આવે છે. હવે સ્પષ્ટ છે - દરેક વખતે ચૂપચાપ શો જોનારા મોદી પેપર લીક ગેંગ અને એજ્યુકેશન માફિયા સામે સંપૂર્ણપણે લાચાર છે. નરેન્દ્ર મોદીની અસમર્થ સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સૌથી મોટો ખતરો છે, દેશનું ભવિષ્ય બચાવવા માટે આપણે તેનાથી બચવું પડશે.
अब NEET PG भी स्थगित!
— Rahul Gandhi (@RahulGandhi) June 22, 2024
यह नरेंद्र मोदी के राज में बर्बाद हो चुकी शिक्षा व्यवस्था का एक और दुर्भाग्यपूर्ण उदाहरण है।
भाजपा राज में छात्र अपना करियर बनाने के लिए ‘पढ़ाई’ नहीं, अपना भविष्य बचाने के लिए सरकार से ‘लड़ाई’ लड़ने को मजबूर है।
अब यह स्पष्ट है - हर बार चुप-चाप तमाशा…
પ્રિયંકા અને જયરામ રમેશે કર્યો પ્રહાર
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ NEET-UG સહિતની રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનિયમિતતાઓને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે તેણે સમગ્ર શિક્ષણ પ્રણાલીને માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓને સોંપી દીધી છે. 'X' પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું કે NEET-UG પ્રશ્નપત્ર 'લીક' થયું હતું જ્યારે NEET-PG, UGC-NET અને CSIR-NET પરીક્ષાઓ 'રદ' કરવામાં આવી હતી. અગાઉ, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે, નિષ્ફળ વડાપ્રધાન અને તેમની આસપાસના લોકોની અસમર્થતાને કારણે કોઈપણ પરીક્ષા રદ થયાના સમાચાર વિના એક દિવસ પસાર થતો નથી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
નેપાળમાં આકાશમાંથી વરસી આફત, 39 લોકોના મોત, અનેક જિલ્લામાં પૂરના કારણે 11 લોકો લાપતા | 2024-09-28 16:19:25
હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાહની પુત્રી ઝૈનબ પણ ઈઝરાયેલના મિસાઈલ હુમલામાં મારી ગઇ | 2024-09-28 16:05:49
અમેરિકામાં હેલેન વાવાઝોડાએ મચાવી તબાહી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44 લોકોનાં મોત | 2024-09-28 09:42:38
સુરતમાં અચાનક મોતનો સિલસિલો....વધુ ત્રણ લોકોનાં મોતથી પરિવારો આઘાતમાં- Gujarat Post | 2024-09-28 09:19:11
ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહ ચીફ નસરલ્લાહ ઠાર થયો હોવાની ચર્ચા, IDF એ આપ્યું મોટું અપડેટ- Gujarat Post | 2024-09-28 09:07:09
Politics: પંજાબમાં ભાજપને મોટો ફટકો, સુનીલ જાખડે પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું- Gujarat Post | 2024-09-27 10:49:07
આ પોર્ટ તો લૂંટના કેન્દ્રો બન્યાં છે... કોંગ્રેસે મુદ્રા, હજીરા અને દહેજ પોર્ટને લઇને અદાણી અને ભાજપ સરકારની મિલીભગતનો કર્યો પર્દાફાશ | 2024-09-26 19:58:16
જમ્મુ કાશ્મીર ચૂંટણીઃ અમિત શાહનો જોરદાર પ્રહાર, રાહુલ બાબાની ત્રણ પેઢીઓ પણ હવે આર્ટિકલ 370 પરત નહીં લાવી શકે | 2024-09-26 19:15:20
કોલકાતા ડોક્ટર દુષ્કર્મ-હત્યા મુદ્દે પોસ્ટ કરનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદની સનસનીખેજ ઘટના પર ક્યારે બોલશે ? Gujarat Post | 2024-09-26 10:47:03
દુષ્કર્મ આચરનારા ભાજપના કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ, કહ્યું- અમારી પાસે સત્તા છે, પાંચ-પાંચ ધારાસભ્યો અમારી સાથે છે | 2024-09-25 10:43:50
પિતા અને 4 પુત્રીઓની લાશ ઘરમાંથી મળી આવી....પાડોશીઓને દુર્ગંધ આવતા પોલસી બોલાવી હતી | 2024-09-28 08:51:54
Gaya News: 10,000 રૂપિયાની કમાણી અને ઘરે રૂ. 2,00,00,000 ની આવી આઇટીની નોટિસ, કામદારનો પરિવાર ચિંતામાં | 2024-09-27 08:57:30