બિહારઃ જહાનાબાદ જિલ્લામાંથી શ્રાવણના ચોથા સોમવારે એક મોટી અને દર્દનાક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. શ્રદ્ધાળુઓમાં નાસભાગ થતા 7 લોકોનાં મોત થયા છે. વણાવર સિદ્ધેશ્વર ધામમાં ભક્તોની ભીડ વચ્ચે આ ઘટના બની હતી. જલાભિષેક કરવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. ડઝનબંધ ભક્તો વણાવર પર્વત પર પાતાળગંગાથી જતી સીડીઓ પર ચઢી અને નીચે ઉતરી રહ્યાં હતા.મંદિર પાસેની સીડી પર કંવરીયાઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.
થોડી જ વારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. મંદિર પાસે હાજર પોલીસકર્મીઓએ સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અચાનક નાસભાગ મચી ગઈ હતી અને અંધારામાં લોકો એકબીજાને કચડીને ભાગવા લાગ્યાં હતા. પોલીસ સ્થિતિને કાબૂમાં લઈ શકે ત્યાં સુધીમાં છ મહિલાઓ સહિત સાત શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ અકસ્માત સોમવારે સૂર્યોદય પહેલા થયો હતો. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. મંદિર વિસ્તારમાં તૈનાત પોલીસકર્મીઓ અને સ્વયંસેવકોની મદદથી રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યાં છે.
ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યાં
દુર્ઘટના બાદ ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ મૃતકો અને ઘાયલ લોકોના પરિવારજનોને મળીને પૂછપરછ કરી રહ્યાં છે. મૃત્યું પામેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. આ પછી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે. ઘાયલો સદર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ પ્રશાસન પર ગંભીર આરોપો
આ દરમિયાન લોકોનું કહેવું છે કે સાતથી વધુ લોકોનાં મોત થયા છે. જહાનાબાદ સદર હોસ્પિટલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બગડી છે. જહાનાબાદ ટેકરી પર પણ વહીવટીતંત્ર દ્વારા નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી. માત્ર ચાર-પાંચ પોલીસ એક બાજુ ઊભા હતા, જેથી ભક્તો મન ફાવે તેમ વર્તન કરતા હતા.
તેઓ ધક્કા મારીને આગળ વધી રહ્યાં હતા. રસ્તો બે બાજુથી ખુલ્લો હોવાથી ઉપરના ભાગે ઘણી ભીડ હતી. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. મખદુમપુરના રહેવાસીના પરિવારની 20 વર્ષની નિશા કુમારીનું મોત થયું છે. કારમાં એક લાશ પડી છે. જે 35 વર્ષના યુવકની લાશ છે. જો કાયદો અને વ્યવસ્થા સુવ્યવસ્થિત હોત તો 35 વર્ષના યુવકનું મોત ન થયું હોત, માસૂમ બાળકની માતાનું મોત થયું છે. તે રડી રહ્યો છે. એમ્બ્યુલન્સમાં ચાર લોકોના મૃતદેહો ભરીને મોકલવામાં આવ્યાં છે.
સોમવારે ભીડમાં નોંધપાત્ર વધારો થયો હતો
આ મામલામાં જેડીયુ જિલ્લા અધ્યક્ષે કહ્યું કે ભીડ વધી જતા અકસ્માત થયો છે. જેમાં 7 લોકોનાં મોત થયા હતા. ઘાયલોની સારવાર ચાલી રહી છે. જહાનાબાદ સ્થિત સિદ્ધેશ્વર ધામમાં સોમવારે ભીડ નોંધપાત્ર રીતે વધી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં સોલર પોલિસી લાવનારું ગુજરાત પ્રથમ રાજ્ય, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બનશેઃ પીએમ મોદી – Gujarat Post | 2024-09-16 14:55:53
ઉદ્ઘાટનના થોડા કલાક પહેલા જ ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનું બદલાયું નામ, પીએમ મોદી સાંજે આપશે લીલીઝંડી – Gujarat Post | 2024-09-16 14:52:43
ગુજરાતની પ્રથમ ઘટના, ગણેશ ગોંડલે જેલમાં રહીને જીતી બેંકની ચૂંટણી – Gujarat Post | 2024-09-16 14:49:42
PM મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે, જાણો તેની ખાસિયતો | 2024-09-16 09:57:51
ફ્લોરિડામાં થયેલા હુમલામાં ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ, એક શંકાસ્પદ કસ્ટડીમાં: FBI | 2024-09-16 09:40:07
સૌથી મોટો શાબ્દિક હુમલો....રાહુલ ગાંધીને દેશનો નંબર-1 આતંકવાદી ગણાવતા કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ | 2024-09-15 20:49:43
પીએમ મોદીએ ઓનલાઇન ઝારખંડથી 6 વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી, વરસાદના કારણે જમશેદપુરનો રોડ શો કર્યો રદ્દ | 2024-09-15 11:28:14
વીડિયો...ભાજપના આ નેતાનો મહિલા સાથેનો વિવાદીત વીડિયો જોરદાર વાઇરલ, મહિલાને કરી રહ્યાં છે અડપલા | 2024-09-13 18:20:15
ફરીથી અદાણી ઉપર હિંડનબર્ગનો ઘટસ્ફોટ....સ્વિસ બેંકે અદાણીના 2600 કરોડ રૂપિયા બ્લોક કર્યાંનો ખુલાસો | 2024-09-13 11:55:26
સંપત્તિ વિવાદમાં રાક્ષસ બન્યો એક શખ્સ, સગાભાઈની સાથે ગર્ભવતી ભાભી અને ભત્રીજાની કુહાડીથી કરી નાખી હત્યા- Gujarat Post | 2024-09-13 10:34:42
પાકિસ્તાનમાં સગીર હિન્દુ યુવતી પર અત્યાચાર, અપહરણ કરીને વૃદ્ધ સાથે મદરેસામાં કરાવાયા નિકાહ | 2024-09-13 08:00:03
સુરતના તત્કાલિન ટાઉન પ્લાનર કૈલાશ ભોયાની ધરપકડ, આવક કરતા વધુ સંપત્તિના કેસમાં ACBએ ગુનો દાખલ કર્યો | 2024-09-12 18:27:02
ભારતને અમેરિકા પાસેથી મળશે શક્તિશાળી હથિયાર, પાકિસ્તાન- ચીન એન્ટી સબમરીન સોનોબોયની શક્તિથી થરથરી જશે | 2024-09-12 09:05:22