ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી
મગફળીનો 25 ટકા માલ સંપૂર્ણ નાશ પામ્યો
તલ, કપાસ સહિતના પાકને નુકસાન
ગાંધીનગરઃ રાજ્યમાં નવરાત્રિ અને તે પછી થયેલા વરસાદથી ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. ખેતરોમાં તૈયાર થયેલો મગફળી, કપાસ, તલ, બાજરી, સોયાબીન સહિતનો પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. જેને લઈને ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યાં છે. વરસાદથી થયેલા નુકસાનને લઈ ગોંડલના એક ખેડૂત કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
ગોંડલના ખેડૂત ઓમદેવસિંહે કૃષિમંત્રીને ફોન કરીને પાક નુકસાની અંગે જાણકારી આપી હતી અને કૃષિમંત્રીને ખેડૂતોને હાલત શું છે તેને લઈને સ્થળ મુલાકાત લેવા જણાવ્યું હતુ, જેમાં ખેડૂતે કહ્યું કે, તમે આવો તો ખરા. અત્યારે બારેમેઘ ખાંગા છે. તમે સૌરાષ્ટ્રના છો, તમને બધી ખબર હોય ને. આ ખેડૂત મરી ગયો છે અને મરી જવાનો છે.સ્યૂસાઇડ કર્યા વગર ખેડૂત પાસે કોઈ વિકલ્પ નથી. જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, સારું, આપણે સહાય-મદદનો પ્રયત્ન કરીશું.
આ પછી ખેડૂતે કહ્યું કે, મદદ નહીં સાહેબ, તમે બધાને કહો કે પરિસ્થિતિ શું છે, સતત વરસાદ ચાલુ છે. તમે સ્થળ પર આવો, હું તમને પરિસ્થિતિ બતાવું. જેના જવાબમાં કૃષિમંત્રીએ કહ્યું કે, હા, આવીશ... આવીશ..
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વાવાઝોડા દાનાની દહેશતથી ઓડિશા-બંગાળમાં સ્કૂલો બંધ, 150થી વધુ ટ્રેનો રદ્દ- Gujarat Post | 2024-10-23 09:25:50
બોટાદના ભીમનાથ ગામના પાટીદાર અગ્રણી ધરમશી મોરડિયાની ઘરઆંગણે જ હત્યા- Gujarat Post | 2024-10-23 09:20:18
અમરેલીમાં સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધું, 24 કલાક બાદ પાંજરામાં કેદ | 2024-10-23 08:25:51
રાજ શેખાવતે કહ્યું લોરેન્સનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીને આટલું ઇનામ આપીશ | 2024-10-22 12:16:13
ભાયલી ગેંગરેપ કેસઃ માત્ર 11 દિવસમાં જ 6000 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ, 100થી વધુ લોકોના નિવેદનો લેવાયા | 2024-10-22 09:24:53
જીગ્નેશ મેવાણીએ આ IPS અધિકારી પર ગેરવર્તણૂંકનો લગાવ્યો આરોપ, વિધાનસભા અધ્યક્ષ પાસે કાર્યવાહીની કરી માંગ | 2024-10-16 08:25:07
નવરાત્રીમાં હજારો સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની ભેટ, વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ | 2024-10-06 19:59:02
નાયબ સીએમનું પદ ગયા પછી નીતિન પટેલને હવે ઘણા પ્રજાલક્ષી મુદ્દાઓ યાદ આવી રહ્યાં છે, ભેળસેળ બાબતે આપી ચીમકી | 2024-10-02 11:40:02
કોલકાતા ડોક્ટર દુષ્કર્મ-હત્યા મુદ્દે પોસ્ટ કરનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદની સનસનીખેજ ઘટના પર ક્યારે બોલશે ? Gujarat Post | 2024-09-26 10:47:03