શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં 2019 પછીનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં 7 લોકોનાં મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી TRFએ લીધી છે. TRF એ લશ્કર-એ-તૈયબાનું માસ્ક છે. તેના આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય છે. હુમલા બાદ તમામ આતંકીઓની શોધખોળ થઇ રહી છે. આ હુમલાનો માસ્ટરમાઈન્ડ શેખ સજ્જાદ ફરાર છે, જે પાકિસ્તાનમાં છુપાયેલો છે. NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એ 2019માં જ તેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. તેની સાથે અન્ય ત્રણ આતંકવાદીઓ પણ છે, જેની મદદથી શેખ સજ્જાદ આખું નેટવર્ક ચલાવી રહ્યો છે.
2019 પછી આ સૌથી મોટી ટાર્ગેટ કિલિંગ છે. શેખ સજ્જાદના સહયોગીઓ પાકિસ્તાની આતંકવાદીઓ અને સ્થાનિક છોકરાઓની મદદથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યાં છે. આ આતંકવાદીઓને પાકિસ્તાની સેના અને આઈએસઆઈનું સમર્થન છે.
ગૃહ મંત્રાલયે શેખ સજ્જાદને આતંકવાદી જાહેર કર્યો
જાન્યુઆરી 2023માં ભારત સરકારના ગૃહ મંત્રાલયે શેખ સજ્જાદને આતંકવાદી જાહેર કર્યો હતો. શેખ સજ્જાદ એચએમટી કોલોની, બેમિના, શ્રીનગરમાં અન્સારી લેનમાં રહેતો હતો. તેના સાથીદારો નવાબ શાહ (સિંધ, પાકિસ્તાન), સૈફુલ્લા સાજીદ (કાસુર, પાકિસ્તાન) અને બાસિત અહેમદ (રેદવાની પેઈન, કુલગામ) છે. NIAએ ગાંદરબલ હુમલાની તપાસ શરૂ કરી છે.
ગાંદરબલમાં 7 લોકોનાં મોત, 5 ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બની કે તરત જ મોટો આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ સીએમ ઓમર અબ્દુલ્લાના મતવિસ્તાર ગાંદરબલને નિશાન બનાવ્યું છે. ગાંદરબલના ગગનગીર વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ડૉક્ટર સહિત 7 લોકોનાં મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. આતંકી સંગઠન TRFએ આ હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠન લશ્કર-એ-તૈયબનું માસ્ક છે અને કાશ્મીરમાં સતત આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યું છે. NIAએ આ આતંકી હુમલાની તપાસ શરૂ કરી છે. NIAની ટીમ ગાંદરબલ પહોંચી ગઈ છે અને સ્થળ પરથી પુરાવા એકત્ર કરી રહી છે.
કેવી રીતે કરાયો સમગ્ર હુમલો ?
ગાંદરબલમાં આ આતંકી હુમલો સોનમર્ગ વિસ્તારના ગગનગીરમાં થયો હતો. તમામ કામદારો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા ઝેડ મોડ ટનલ નિર્માણ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યાં હતા. આ ટનલ મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાની ગગનગીર ખીણને સોનમર્ગ સાથે જોડે છે. રાત્રે લગભગ 8.30 વાગ્યે કામ કર્યા પછી કામદારો જમવા માટે મેસ પર પહોંચ્યાં હતા. દરમિયાન આતંકીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ફાયરિંગમાં બે વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
રાજ શેખાવતે કહ્યું લોરેન્સનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીને આટલું ઇનામ આપીશ | 2024-10-22 12:16:13
ઇઝરાયેલના હાથે લાગ્યો હિઝબુલ્લાહનો ગુપ્ત ખજાનો! 500 મિલિયન ડોલરનું સોનું અને રોકડ મળી | 2024-10-22 11:09:20
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર આ રાજ્યમાં મચાવી શકે છે તબાહી, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ- Gujarat Post | 2024-10-22 09:31:39
ભાયલી ગેંગરેપ કેસઃ માત્ર 11 દિવસમાં જ 6000 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ, 100થી વધુ લોકોના નિવેદનો લેવાયા | 2024-10-22 09:24:53
હવે તો હદ કરી નાખી...અમદાવાદમાં અસલી કોર્ટમાં નકલી કોર્ટ ઝડપાઇ, અનેક ચૂકાદા પણ આપી દીધા- Gujarat Post | 2024-10-22 09:19:47
ફારુક અબદુલ્લાએ આતંકી હુમલાની નિંદા કરી, પાકિસ્તાને મિત્રતા રાખવી હોય તો આ બધું નહીં ચાલે | 2024-10-21 14:31:41
મુકેશ અંબાણીએ બદ્રીનાથ-કેદારનાથમાં કર્યું આટલા કરોડ રૂપિયાનું દાન- Gujarat Post | 2024-10-21 09:01:07
કાશ્મીરમાં મોટો આતંકવાદી હુમલો, 6 શ્રમિકો અને 1 ડોક્ટરનું મોત, આ આતંકવાદી સંગઠને લીધી જવાબદારી | 2024-10-21 08:58:11
EVM ને લઇને એલોન મસ્કનો ઘટસ્ફોટ, કહ્યું તે હેક કરી શકાય છે, ચૂંટણીઓ આવી રીતે ન થવી જોઇએ | 2024-10-21 10:22:27