કેનેડા સરકારે હિન્દુઓને સુરક્ષાની આપી ખાતરી
ખાલિસ્તાનીઓએ હિન્દુઓને કેનેડા છોડવા આપી છે ધમકી
નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારતે હાલમાં કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે. બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે મહિન્દ્રા ગ્રુપે પણ કેનેડાને મોટો ઝટકો આપ્યો છે. આનંદ મહિન્દ્રાની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડામાં તેની કામગીરી બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. કંપનીએ તેની કેનેડા સ્થિત કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશન, કેનેડાને સ્વૈચ્છિક ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. રેસન એરોસ્પેસ કોર્પોરેશનમાં M&& નો 11.18 ટકા હિસ્સો હતો. મહિન્દ્રાએ કહ્યું કે આ સાથે, રેસનનું ઓપરેશન બંધ થઈ ગયું છે, ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ હેઠળ, 20 સપ્ટેમ્બર, 2023 થી તેને તેની સાથે કોઈ લેવાદેવા નથી. રેસનના લિક્વિડેશન પર, કંપનીને 4.7 કેનેડિયન ડોલર મળશે, જે ભારતીય ચલણમાં રૂ. 28.7 કરોડ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના આ નિર્ણયથી કેનેડાને મોટો ફટકો પડ્યો છે.
ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ હિંદુઓને કેનેડા છોડવા ધમકી આપી છે ત્યારે તેની પ્રતિક્રિયા જોવા મળી હતી, હિંદુ સંગઠનોએ સરકારને પત્ર લખીને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સિવાય હિંદુ સાંસદ ચંદ્ર આર્યએ પણ કહ્યું કે આ રીતે વાત કરવી એ કેનેડાની સંસ્કૃતિનું અપમાન છે અને ટ્રુડ્રો સરકારે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
કેનેડા સરકારે કહ્યું કે દેશમાં નફરત માટે કોઈ સ્થાન નથી. વીડિયોમાં હિંદુઓને કેનેડા છોડવાનું કહેવામાં આવ્યું છે, તે કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. આ અમારી મૂળભૂત ભાવનાઓ વિરુદ્ધ છે. અમે માત્ર બહુ-ધાર્મિક સંસ્કૃતિમાં જ માનતા નથી પરંતુ પાયાના સ્તરે તેનું પાલન પણ કરીએ છીએ. કોઈપણ પ્રકારની ઉશ્કેરણી, ધાકધમકી માટે કેનેડામાં કોઈ સ્થાન નથી. અમે કેનેડાને વિભાજીત કરતી કોઇ પણ વાતને સમર્થન આપતા નથી. અમે દરેક કેનેડિયન નાગરિકને એકબીજાનું સન્માન કરવા અને કાયદાનું પાલન કરવાની અપીલ કરીએ છીએ, દરેક કેનેડિયન નાગરિક સંપૂર્ણપણે સુરક્ષિત છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ક્ષત્રિય મહાસંમેલનમાં બબાલ, રૂપાલા સામે સૌથી વધુ લડેલા પદ્મીની બા વાળાએ આગેવાનોને લીધા આડેહાથ | 2024-09-20 17:52:04
ઘરના દરવાજા પાસે અચાનક ધડાકા સાથે ફાટી જમીન, જોત જોતામાં મહિલા સમાઈ ગઈને પછી..... | 2024-09-20 11:39:22
ક્ષત્રિયોના નવા સંગઠન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી- Gujarat Post | 2024-09-20 11:34:54
Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા, સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી | 2024-09-20 11:16:42
આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- આ અમાનવીય વર્તન | 2024-09-20 09:06:02
ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ જોરદાર પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાગી લાંબી લાઈનો | 2024-09-20 09:02:28
અમેરિકામાં વ્યાજદરમાં થયેલા ઘટાડાની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર, માર્કેટની શરૂઆત જોરદાર તેજીથી થઈ | 2024-09-19 10:04:35
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59
બિહારઃ જ્યાં પહેલા મકાનો હતા ત્યાં હવે રાખ બચી છે... દલિત કોલોનીમાં લાગી આગ, લોકોએ ડરમાં વિતાવી રાત | 2024-09-19 08:58:15
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55