Sun,08 September 2024,6:59 am
Print
header

મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ

મુંબઈઃ શહેરના શાહબાઝમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. ઈમારત ધરાશાયી થયા બાદ અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી કાટમાળમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યાં છે. હાલ NDRF, પોલીસ, ફાયર બ્રિગેડ અને પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સેક્ટર 19, બેલાપુર શાહબાઝ ગામની જણાવવામાં આવી રહી છે.

આ અકસ્માત સવારે 4.50 કલાકે થયો હતો

માહિતી આપતા ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે તેમને સવારે 4.50 વાગ્યે બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળી હતી. માહિતી મળ્યાં બાદ અમારી ટીમ અહીં પહોંચી હતી, ત્યારબાદ અમે જોયું કે બે લોકો ફસાયેલા છે. અમે સૈફ અલી અને રૂખસાર ખાતુનને જીવતા બહાર કાઢ્યા છે. મોહમ્મદ સિરાજ નામનો વ્યક્તિ હજુ પણ ગુમ છે અને તેની શોધ ચાલી રહી છે. ઘણી ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

ઇમારત 10 વર્ષ જૂની હતી

આ સિવાય નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ કહ્યું કે જ્યારે અમને બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળી તો અમે અહીં પહોંચ્યા. તેમાં ત્રણ દુકાનો અને 13 ફ્લેટ હતા. અત્યાર સુધીમાં 52 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે. આ સિવાય બે લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યાં હતા. જે લોકો હજુ પણ ફસાયેલા છે તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. જેઓ સુરક્ષિત છે તેમને રેસ્ક્યુ શેલ્ટરમાં મોકલવામાં આવ્યા છે. આ સિવાય ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch