Tue,17 September 2024,1:54 am
Print
header

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે મુહમ્મદ યુનુસ ઢાકેશ્વરી દેવી મંદિર પહોંચ્યાં, તસવીર સામે આવી

ઢાકાઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ હિંદુઓ સહિત અન્ય લઘુમતીઓ વિરુદ્ધ મોટા પાયે હિંસા ચાલુ છે. શેખ હસીનાએ થોડા દિવસો પહેલા પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારત આવી ગયા હતા. બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેની હિંસા પર સતત અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે હિંસા અટકાવવા લોકોને અપીલ કરી છે. યુનુસે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પ્રસિદ્ધ ઢાકેશ્વરી દેવી મંદિરની મુલાકાત લીધી છે.

ઢાકેશ્વરી મંદિર હિન્દુઓ માટે મહત્વનું

ઢાકેશ્વરી મંદિર બાંગ્લાદેશનું સૌથી પ્રખ્યાત અને સૌથી મોટું હિન્દુ મંદિર છે. ઢાકેશ્વરી મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ સેના વંશના રાજા બલાલ સેને કરાવ્યું હતું. મંદિરના નામ ઢાકેશ્વરીનો અર્થ ઢાકાની દેવી થાય છે, જે દર્શાવે છે કે મંદિર ઢાકા શહેરની આશ્રયદાતા દેવીને સમર્પિત છે. બાંગ્લાદેશના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસામાં ઢાકેશ્વરી મંદિરનું વિશેષ સ્થાન છે.

લઘુમતી આગેવાનો સાથે બેઠક કરશે

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ ઢાકામાં લઘુમતી સમૂદાયોના નેતાઓ સાથે બેઠક કરશે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટે રાજીનામું આપ્યાં બાદ દેશમાં હિન્દુઓ પર સતત હુમલા અને બર્બરતાની ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં આ બેઠક યોજાવા જઈ રહી છે.

પીએમ મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો

પીએમ મોદીએ બાંગ્લાદેશના મુહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યાં હતા. પીએમએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતી સમૂદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરીને અમે ઝડપથી સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની આશા રાખીએ છીએ. ભારત શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે આપણા બંને લોકોની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે બાંગ્લાદેશ સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch