Mon,24 June 2024,12:22 am
Print
header

આ રહી નરેન્દ્ર મોદીની નવી કેબિનેટ, રાજનાથ, અમિત શાહ, નડ્ડા, સી.આર.પાટીલ સહિત આટલા મંત્રીઓએ લીધા શપથ

30 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર હવાલો, 36 રાજ્યમંત્રીઓ સહિત 71 મંત્રીઓએ લીધા શપથ

27 ઓબીસી અને 10 એસસી સમૂદાયના સાંસદોએ લીધા શપથ

ગુજરાતમાંથી નવા ચહેરાઓમાં સી.આર.પાટીલ અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાને બનાવાયા મંત્રી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મોદી સિવાય રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જે.પી.નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ, નિર્મલા સીતારમન, એસ.જયશંકર, મનોહરલાલ ખટ્ટર, એચ.ડી.કુમાર સ્વામી, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાને કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા.

હિન્દુસ્તાન આવામ મોર્ચાના અધ્યક્ષ જીતન રામ માંઝીએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. રાજીવ રંજન સિંહ(જેડીયુ) સર્બાનંદ સોનોવાલ, ડો.વિરેન્દ્ર કુમારને રાષ્ટ્રપતિ મુર્મૂએ શપથ લેવડાવ્યાં હતા.

રામમોહન નાયડુ, પ્રહલાદ જોષી, ઓરિસ્સાના જુઅલ ઓરાંવ, બિહારથી ગીરીરાજસિંહ, અશ્વિની વૈષ્ણવે પણ મંત્રીપદના શપથ લીધા હતા.

ગયાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધીયા, અલવરથી ભાજપ સાંસદ ભૂપેન્દ્ર યાદવ, ગજેન્દ્રસિંહ શેખાવત, ઝારખંડથી અન્નપૂર્ણા દેવી,
કિરણ રિજિજુ (હિમાચલ પ્રદેશ), હરદિપસિંહ પુરી, પોરબંદરથી મનસુખ માંડવિયા, સિકંદરાબાદના સાંસદ જી.કિશન રેડ્ડી, એલજેપીના ચિરાગ પાસવાન, સી.આર.પાટીલ, રાવ ઇન્દ્રજીત સિંહ(ગુંડગાંવ લોકસભા બેઠક) ના સાંસદે પણ મંત્રીપદના શપથ લીધા હતા.

ઉદ્યમપુરના સાંસદ ડો.જીતેન્દ્રસિંહ, બિકાનેરના સાંસદ અર્જુન રામ મેઘવાલ, જયંત ચૌધરી, જીતીન પ્રસાદ(પીલીભીતના સાંસદ), ગોવાના શ્રીપદ યશો નાઇકે પણ મંત્રી પદના શપથ લીધા હતા.

શ્રીક્રૃષ્ણપાલ ગુર્જર(હરિયાણા), આરપીઆઇ-એ ના રામદાસ આઠવલે, રામનાથ ઠાકુરે પણ મંત્રીપદના શપથ લીધા હતા.

કેબિનેટ મંત્રીઓ
- નરેન્દ્ર મોદી- વડાપ્રધાન  
- રાજનાથ સિંહ
- અમિત શાહ
- નીતિન ગડકરી  
- જે.પી.નડ્ડા
- શિવરાજ સિંહ ચૌહાણ
- નિર્મલા સીતારમણ
- એસ.જયશંકર
- મનોહરલાલ ખટ્ટર
- એચ.ડી.કુમારસ્વામી
- પિયુષ ગોયલ-
- ધર્મેન્દ્ર પ્રધાન
- જિતન રામ માંઝી
- લલન સિંહ
- સર્બાનંદ સોનોવલ
- ડૉ. વિરેન્દ્ર કુમાર
- રામમોહન નાયડુ
- પ્રહલાદ જોશી
- જુએલ ઓરાંવ
- ગિરિરાજ સિંઘ
- અશ્વિની વૈષ્ણ્વ
- જ્યોતિરાદિત્ય સિંધિયા
- ભૂપેન્દ્ર યાદવ
- ગજેન્દ્ર સિંહ શેખાવત
- અન્નપૂર્ણા દેવી
- કિરેન રિજિજૂ
- હરદીપ સિંહ પુરી
- ડૉ. મનસુખ માંડવિયા
- જી.કિશન રેડ્ડી
- ચિરાગ પાસવાન
- સી.આર.પાટીલ

રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)

• ઈન્દ્રજીતસિંહ રાવ

• ડૉ.જીતેન્દ્ર સિંઘ

• અર્જુન રામ મેઘવાલ

• પ્રતાપરાવ ગણપતરાવ જાધવ

• જયંત ચૌધરી

રાજ્યમંત્રીઓ

• જીતીન પ્રસાદ

• શ્રીપદ યશો નાઈક

• પંકજ ચૌધરી

• કૃષ્ણ પાલ

• રામદાસ અઠાવલે

• રામનાથ ઠાકુર

• નિત્યાનંદ રાય

• શ્રીમતી અનુપ્રિયા પટેલ

• વી. સોમન્ના

• ડૉ.ચંદ્રશેખર પેમ્માસાની

• પ્રો.એસ.પી.સિંહ બઘેલ

• સુશ્રી શોભા કરાંદલાજે

• કીર્તિવર્ધન સિંઘ

• બનવારી લાલ વર્મા

• શાંતનુ ઠાકુર

• સુરેશ ગોપી

• ડૉ. એલ.મુરુગન

• અજય ટમટા

• બંડી સંજય કુમાર

• કમલેશ પાસવાન

• ભગીરથ ચૌધરી

• સતીષચંદ્ર દુબે

• સંજય સેઠ

• રવનીત સિંહ

• દુર્ગાદાસ ઉડકે

• શ્રીમતી રક્ષા નિખિલ ખડસે

• સુકાંતા મજૂમદાર

• શ્રીમતી સાવિત્રી ઠાકુર

• તોખન સાહૂ

• રાજભૂષણ ચૌધરી

• ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્મા

• હર્ષ મલ્હોત્રા

• નિમુબેન જયંતીભાઈ બાંભણિયા

• મુરલીધર મોહોલ

• જોર્જ કુરિયન

• પબિત્રા માર્ગેરિટા

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch