Sun,08 September 2024,5:38 am
Print
header

કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું

ભારતે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને આપી હતી પછડાટ

મોદીએ કહ્યું આતંકવાદનો ખાત્મો કરવાનો છે

લદ્દાખઃ ભારત 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની રજત જયંતી ઉજવી રહ્યું છે. 25 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમતથી ભારતમાં ઘૂસેલા પાકિસ્તાની સૈનિકો અને તેના ઘૂસણખોરોને ભગાડી દીધા હતા. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લદ્દાખમાં કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. આ સિવાય પીએમ મોદી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની પત્નીઓ સાથે પણ વાતચીત કરશે.

શું કહ્યું પીએમ મોદીએ ?

પીએમ મોદીએ કારગિલ વિજય દિવસને લઈને સંદેશ પણ આપ્યો છે. મોદીએ લખ્યું છે કે 26 જુલાઈ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ વખતે આપણે 25મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યાં છીએ, આ દિવસ આપણા દેશની રક્ષા કરનારા તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. હું કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈશ અને આપણા બહાદુર વીરોને શ્રદ્ધાંજલિ આપીશ. તેઓ લદ્દાખમાં સૈનિકોની વચ્ચે પહોંચ્યાં છે અને શૌર્ય- બલિદાનને બિરદાવ્યાં હતા.

વિશ્વની સૌથી ઊંચી ટનલના કામનું ઉદ્ઘઘાટન

લદ્દાખની મુલાકાત દરમિયાન શિંકુન લા ટનલ પ્રોજેક્ટના કામનું પણ મોદી ઉદ્ઘાટન કરશે, આ ટનલ પ્રોજેક્ટ લેહ સાથે કનેક્ટિવિટી સુધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તે લેહમાં ઓલ-વેધર કનેક્ટિવિટી પ્રદાન કરશે. કામ પૂર્ણ થયા બાદ શિંકુન લા વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch