Sat,21 September 2024,6:06 am
Print
header

ટ્રેનમાં કોફી બનાવતી વખતે સિલિન્ડમાં થયો વિસ્ફોટ, 10 લોકોનાં મોત, 20 ઘાયલ- Gujarat Post

ચેન્નઈઃ તમિલનાડુના મદુરાઈમાં એક મોટો અકસ્માત થયો છે. મદુરાઈમાં એક ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. 20 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યાં અનુસાર, મદુરાઈ રેલ્વે સ્ટેશન નજીક બોડી લેનમાં પાર્ક કરેલી પ્રવાસી ટ્રેનમાં વહેલી સવારે આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. દક્ષિણ રેલ્વેએ મૃતકોના પરિવારજનો માટે 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

પ્રાથમિક માહિતી મુજબ ટ્રેન રામેશ્વરમ જઈ રહી હતી. તેનું નામ પુનાલુર મદુરાઈ એક્સપ્રેસ જણાવવામાં આવી રહ્યું છે. જે કોચમાં આગ લાગી તેમાં મોટાભાગના મુસાફરો લખનઉથી સવાર હતા. જીવ ગુમાવનારા મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશના જ છે. આગની ઘટના સવારે 5.15 વાગ્યાની આસપાસ નોંધાઈ હતી. તે સમયે ટ્રેનને મદુરાઈ યાર્ડ જંકશન પર રોકી દેવામાં આવી હતી.

દક્ષિણ રેલ્વેના એક અધિકારીના જણાવ્યાં અનુસાર, આજે સવારે 5:15 વાગ્યે મદુરાઈ યાર્ડમાં પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch