Sun,08 September 2024,5:45 am
Print
header

Fact Check: વિરાટ કોહલી અને રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનમાં જઈને રમવાનો વાંધો નથી ! જાણો વાયરલ મેસેજની હકીકત

Gujarat Post Fact Check: સોશિયલ મીડિયા પર દરરોજ અસંખ્ય ફેક ન્યૂઝ આવતા રહે છે. આ ફેક ન્યૂઝ સામાન્ય માણસથી લઈને દેશની મોટી હસ્તીઓ સુધી ફેલાય છે અને સામાન્ય લોકો સરળતાથી તેનો શિકાર બની જાય છે. હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને ફેક ન્યૂઝ સામે આવ્યાં છે. સોશિયલ મીડિયા પર આવી ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને ખેલાડીઓએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે અમારા ફેક્ટ ચેકમાં આ વાત સંપૂર્ણપણે ખોટો હોવાનું બહાર આવ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીના નામની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ અનુસાર વિરાટ અને રોહિતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન જવાનું સમર્થન કર્યું છે. હરિ શંકર કુશવાહા નામના ફેસબુક યુઝરે લખ્યું - વિરાટ કોહલીએ કહ્યું કે મને પાકિસ્તાન જઈને ચેમ્પિયન ટ્રોફી રમવામાં કોઈ વાંધો નથી. ફેસબુક યુઝર સચિન ચૌહાણે લખ્યું - "રોહિત શર્માએ કહ્યું, "મને પાકિસ્તાન સાથે ચેમ્પિયન ટ્રોફી રમવામાં કોઈ સમસ્યા નથી. તે આપણા ભાઈ જેવા છે.

વિરાટ અને રોહિત સંબંધિત આ દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો, તેથી ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન જવાના સમર્થનમાં કોઈ નિવેદન આપ્યું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો દાવો તદ્દન ખોટો છે. લોકોને આવા દાવાઓથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch