Gandhinagar News: રાજ્યના કર્મચારી મહામંડળ જૂની પેન્શન યોજના મુદ્દે 17 સપ્ટેમ્બર એટલે કે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે એક દિવસ કામકાજથી અળગા રહેશે. મહામંડળે તમામ કર્મચારીઓની વિવિધ માંગણી મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ તેમના પ્રશ્નોનો ઉકેલ ન આવતાં સરકાર વિરુદ્ધ બાંયો ચઢાવવા તૈયાર છે. OPS મુદ્દે 4.50 લાખ કર્મચારીઓ કામકાજથી દૂર રહેશે.
કર્મચારીઓની માંગણીઓમાં જૂની પેન્શન યોજનાનો અમલ કરવો, ફિક્સ પગાર પ્રથા મૂળ અસરથી દૂર કરવી, મુસાફરી દૈનિક ભથ્થું, ચાઇલ્ડ એજ્યુકેશન એલાઉન્સ, ચાર્જ એલાઉન્સ, વતન પ્રવાસ ભથ્થું, બદલી વળતર ભથ્થું સહિતના સાતમા પગાર પંચના સંપૂર્ણ અમલીકરણ સહિતના વિવિધ મુદ્દા સામેલ છે. ઉપરાંત વિવિધ ખાતાઓમાં ગ્રેડ પે, ઉચ્ચતર પગારના ધોરણના લાભમાં રહેલી વિસંગતતા દૂર કરવી, કેશલેશ મેડિક્લેમની મર્યાદા આપવી, ચાલુ ફરજ દરમિયાન મૃત્યુંના કિસ્સામાં વારસદારને રહેમરાહે નોકરી, 50 વર્ષના કર્મચારીને ખાતાકીય પરીક્ષામાથી મુક્તિ આપવા સહિતની માંગ કરી છે.
ત્યારે પીએમ મોદીના જન્મદિવસે વિરોધ દર્શાવીને કર્મચારીઓ પોતાની માંગો ફરીથી રાજ્યની ભાજપ સરકાર સમક્ષ મુકશે. નોંધનિય છે કે આ કર્મચારીઓની માંગો જૂની છે અને અત્યાર સુધી તેનું કોઇ નિરાકરણ આવતું નથી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં સોલર પોલિસી લાવનારું ગુજરાત પ્રથમ રાજ્ય, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બનશેઃ પીએમ મોદી – Gujarat Post | 2024-09-16 14:55:53
ઉદ્ઘાટનના થોડા કલાક પહેલા જ ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનું બદલાયું નામ, પીએમ મોદી સાંજે આપશે લીલીઝંડી – Gujarat Post | 2024-09-16 14:52:43
ગુજરાતની પ્રથમ ઘટના, ગણેશ ગોંડલે જેલમાં રહીને જીતી બેંકની ચૂંટણી – Gujarat Post | 2024-09-16 14:49:42
PM મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે, જાણો તેની ખાસિયતો | 2024-09-16 09:57:51
ફ્લોરિડામાં થયેલા હુમલામાં ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ, એક શંકાસ્પદ કસ્ટડીમાં: FBI | 2024-09-16 09:40:07
જેલમાં બંધ ગણેશ ગોંડલનું વર્ચસ્વ ખતમ થશે કે પછી... આજે ગોંડલ નાગરિક બેંકના પરિણામ પર નજર- Gujarat Post | 2024-09-15 12:00:27
ભૂપેન્દ્ર પટેલ સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, ખેડૂતોની ખરાઈ ચકાસણીમાં હવે આ તારીખ પછીના જ રેકોર્ડ ધ્યાનમાં લેવાશે | 2024-09-14 11:20:16
ગણેશ વિસર્જન દરમિયાન દહેગામ પાસે મેશ્વો નદીમાં ડૂબતા 8 લોકોનાં મોત, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો | 2024-09-13 17:56:50