Sun,07 July 2024,6:22 am
Print
header

ગુજરાતમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર, 24,700 કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે

ગાંધીનગરઃ રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવશે. આ મુદ્દે આજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

પ્રેસ કોન્સફરન્સ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે TET-1 અને TET-2 ઉમેદવારો અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયો અનુસાર TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.

વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch