અમદાવાદઃ કરણી સેનાના રાજ શેખાવતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવાની માંગ સાથે એક વીડિયો સોશિયલ મીડિયામાં પર વાયરલ કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે હું માત્ર એટલું જ જાણું છું કે આપણા વિરાસતના સૌથી આદરણીય અમર શહીદ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા લોરેન્સ બિશ્નોઈ દ્વારા કરવામાં આવી હતી.
જે કોઈ પણ પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરશે તેને 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયા ઈનામમાં આપવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે તે બહાદુર પોલીસકર્મીના પરિવારની સુરક્ષા અને સંપૂર્ણ વ્યવસ્થાની ફરજ પૂરી પાડશે. વીડિયોના અંતમાં રાજ શેખાવત કહે છે ‘જય મા કરણી.
લોરેન્સ બિશ્નોઈ હાલમાં સાબરમતી જેલમાં બંધ છે, તેને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી છે. આ પહેલા પણ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે વડોદરામાં લોરેન્સના એન્કાઉન્ટરની માંગ કરી હતી. તેમણે સવાલ કર્યો કે કેન્દ્ર સરકાર આવા ગુંડાઓને શા માટે આશ્રય આપે છે ? રાજ શેખાવત આ દિવસોમાં મધ્ય ગુજરાતના પ્રવાસે છે. તેમને ક્ષત્રિય મહાસંમેલનમાં આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે NCP નેતા બાબા સિદ્દીકીની તાજેતરમાં થયેલી હત્યાની જવાબદારી પણ બિશ્નોઈ ગેંગે લીધી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
क्षत्रिय करणी सेना की केंद्र सरकार मांग जल्द से जल्द लॉरेंस बिश्नोई का जल्द से एनकाउंटर करें.#narendramodi #amitshah #pmoindia #karnisena #iamrajshekhawat #Encounter pic.twitter.com/uXL3lvKpTM
— Dr Raj Shekhawat (@IAMRAJSHEKHAWAT) October 21, 2024
ઇઝરાયેલના હાથે લાગ્યો હિઝબુલ્લાહનો ગુપ્ત ખજાનો! 500 મિલિયન ડોલરનું સોનું અને રોકડ મળી | 2024-10-22 11:09:20
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર આ રાજ્યમાં મચાવી શકે છે તબાહી, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ- Gujarat Post | 2024-10-22 09:31:39
ભાયલી ગેંગરેપ કેસઃ માત્ર 11 દિવસમાં જ 6000 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ, 100થી વધુ લોકોના નિવેદનો લેવાયા | 2024-10-22 09:24:53
હવે તો હદ કરી નાખી...અમદાવાદમાં અસલી કોર્ટમાં નકલી કોર્ટ ઝડપાઇ, અનેક ચૂકાદા પણ આપી દીધા- Gujarat Post | 2024-10-22 09:19:47
સુરતમાં મોટું ઓપરેશન, DRI એ સ્મગલિંગનું 9 કિલો સોનું કર્યું જપ્ત | 2024-10-21 10:46:20
અંકલેશ્વરમાંથી રૂ, 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, આ રીતે થયો પર્દાફાશ- Gujarat Post | 2024-10-21 08:55:27
મોત બની ગઇ વીજળી, અમરેલીમાં ખેતરમાંથી પરત આવતા 5 લોકો પર વીજળી પડી | 2024-10-19 18:57:15
સાવરકુંડલા ભાજપના ધારાસભ્ચ મહેશ કસવાલાએ કૃષિ મંત્રીને પત્ર લખીને કરી આ રજૂઆત- Gujarat Post | 2024-10-18 10:04:28
કચ્છમાં 4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો રાત્રે ઉંઘમાંથી દોડીને ઘરની બહાર આવ્યાં- Gujarat Post | 2024-10-17 11:43:14