Sat,21 September 2024,6:02 am
Print
header

અમદાવાદના માધુપુરામાં 7 શખ્સોએ છરીના ઘા ઝીંકીને યુવકની જાહેરમાં કરી ઘાતકી હત્યા, વિસ્તારમાં તંગદિલીનો માહોલ

અમદાવાદઃ માધુપુરા વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની અંગત અદાવતમાં છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેતાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. યુવક બુલેટ લઈને નીકળ્યો હતો તે સમયે 7 શખ્સોએ અચાનક આવીને છરીના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને પગલે માધુપુરામાં તંગદીલીનો માહોલ સર્જાતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને માધુપુરા બજાર બંધ રાખવામાં આવ્યું હતુ. પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 6 શંકાસ્પદ શખ્સોની અટકાયત કરાઇ છે.

માધુપુરા વિસ્તારમાં કૃણાલ ઠાકોર (ઉ.વ-19) નામનો યુવક ઠાકોરવાસમાં રહેતો હતો. ગઈકાલે મોડીરાત્રે તે બુલેટ લઈને આંટો મારવા નીકળ્યો હતો. કૃણાલ માધુપુરા વિસ્તારમાં આવેલા પાન પાર્લર પાસે ઊભો હતો. જૂની અદાવત રાખીને 7 લોકો તેની પાસે આવ્યાં હતા અને છરીના ઘા ઝીંક્યા હતા. લોહીથી લથબથ કૃણાલ જમીન પર ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળ પર જ તેનું મોત થયુ હતું. આ ઘટનાની જાણ થતા માધુપુરા પોલીસ ઘટનાસ્થળે પર દોડી આવી હતી. કૃણાલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યુવકની અંતિમયાત્રા નીકળી હતી. કૃણાલની હત્યા થતાં અહીં વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો, કૃણાલના મોતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. આરોપીઓમાં કરણ મહેન્દ્ર રાજપૂત, પીયુષ ઠાકોર, ચિરાગ ઠાકોર, રાજ ઠાકોર, દશરથ ઠાકોરનો સમાવેશ થાય છે. . હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.જ્યારે 6 શંકાસ્પદ શખ્સઓની પણ પોલીસે અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch