Fri,20 September 2024,6:16 pm
Print
header

લગ્નમાંથી ઘરે જઇ રહેલા 8 લોકો કારમાં જીવતા સળગી ગયા, કારના દરવાજા લોક થઇ ગયા હતા

લોક થયેલી કારના દરવાજા ખુલતા ન હોવાથી 8 લોકો જીવતા ભડથું થયા

કારનો કાચ તોડવાનો પણ પ્રયાસ કર્યો

બરેલીઃ ફુરકાન પીલીભીત રોડ પર ફહમ લેનમાં લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરતી વખતે અકસ્માત સર્જાતા 8 લોકોનાં મોત થયા છે. અકસ્માત સમયે કારના તમામ દરવાજા લોક થઇ ગયા હતા. કાર અને ડમ્પર વચ્ચેની ભારે ટક્કરથી થોડી જ સેકન્ડમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા લોકો અંદર બળીને ખાખ થઇ ગયા હતા.

પ્રત્યદક્ષીનાં જણાવ્યાં અનુસાર દરેક વ્યક્તિઓ કારની અંદર ચીસો પાડી રહી હતી, પરંતુ સેન્ટ્રલ લોકીંગ દરવાજાને કારણે બારી કે દરવાજો ખુલી શક્યો ન હતો. અકસ્માતને કારણે વાહનની સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમ તુટી ગઈ હતી.લોકોએ અંદરથી કાચ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કાચ તોડવા માટે કંઈ મજબૂત સાધન ન હોવાથી તે તોડી શક્યા નહીં. રાહદારીઓએ પણ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ ત્યાં સુધીમાં કાર આગનો ગોળો બની ગઈ હતી.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી નજીકના પેટ્રોલ પંપ પરથી અગ્નિશામક યંત્ર લાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સિલિન્ડર નાનો હોવાને કારણે આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો. ફાયર બ્રિગેડની ગાડીઓને પણ બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. મોડી રાત સુધી મૃતકોની ઓળખ થઈ શકી ન હતી. આ અકસ્માત અંગે પોલીસ તપાસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch