હાલમાં જ કેનેડિયન વડાપ્રધાને ભારતની મહેમાનગતિ માણી હતી
મોદીના મિત્રએ ભારત સામે લગાવ્યાં આરોપ
કેનેડાઃ ભારત અને કેનેડા વચ્ચે અણબનાવ વધી રહ્યાં છે.કેનેડાએ ભારતના એક ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા છે.આ સમગ્ર મામલો શીખ નેતા હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસની તપાસ સાથે જોડાયેલો છે. કેનેડિયન સરકારનો આરોપ છે કે ભારતીય રાજદ્વારીઓ હત્યાની તપાસમાં દખલ કરી રહ્યાં હતા અને તે પણ ત્યારે કેનેડિયન એજન્સી આ કેસની તપાસ માટે પ્રતિબદ્ધ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનું ષડયંત્ર હોઈ શકે છે.
જાણો કોણ છે હરદીપ સિંહ નિજ્જર
આ વર્ષે જૂનમાં કેનેડાના ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર પર કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે બે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. હુમલામાં તેનું મોત થયું હતું. ભારતીય એજન્સી NIAએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો. નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાનો પ્રમુખ હતો અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો મુખ્ય ચહેરો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો.
કેનેડાના PMએ ભારત સરકાર પર આરોપ લગાવ્યો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. કેનેડાની સુરક્ષા એજન્સીઓ પાસે એવું માનવા માટેનું કારણ છે કે નિજ્જરની હત્યા ભારત સરકારના એજન્ટોએ કરી હતી. કેનેડિયન એજન્સીઓ નિજ્જરની હત્યામાં ભારતીય ષડયંત્રની શક્યતાની તપાસ કરી રહી છે. ટ્રુડોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ સંડોવણી અસ્વીકાર્ય છે.
PMએ સંસદમાં આ નિવેદન આપ્યું હતું
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં જણાવ્યું હતું કે તેમણે નવી દિલ્હીમાં યોજાયેલી G- 20 સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. હત્યાકાંડની તપાસમાં ભારત સરકારની કોઈ પણ સંડોવણી અસ્વીકાર્ય હશે. મેં તેમને તપાસમાં સહકાર આપવા વિનંતી કરી હતી. કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યા કરવામાં આવી છે. તેની તપાસમાં કોઈ પણ વિદેશી સરકારની સંડોવણી એ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. તેમની સરકાર પોતે કેનેડિયન એજન્સીઓ સાથે કામ કરી રહી છે. સરકાર અને એજન્સીઓ વચ્ચે સંકલન છે.
ટ્રુડોએ બાઇડેન સાથે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો
કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું કે કેનેડામાં ભારતીય અધિકારીને હાંકી કાઢવામાં આવ્યાં છે. જો આ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. પીએમ ટ્રુડોએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી ડોમિનિક લેબ્લેન્કે કહ્યું કે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેનેડિયન સ્પાય સર્વિસના વડાએ તેમના ભારતીય સમકક્ષો સાથે આ અંગે વાત કરી છે. સંસદમાં કેનેડિયન પીએમના નિવેદન પર વિપક્ષી પાર્ટીના નેતા પિયરે પોલીવેરે કહ્યું કે જો તમારા આરોપો સાચા છે તો તે અમારી સંપ્રભુતાનું અપમાન છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
વીડિયો, ઇરાને અંધાધૂંધ ફાયરિંગ કરીને 250 જેટલા અફઘાનીઓને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો દાવો | 2024-10-18 10:29:33
સાવરકુંડલા ભાજપના ધારાસભ્ચ મહેશ કસવાલાએ કૃષિ મંત્રીને પત્ર લખીને કરી આ રજૂઆત- Gujarat Post | 2024-10-18 10:04:28
સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને લખ્યો પત્ર, હીરા ઉદ્યોગ માટે કરી ખાસ માંગ- Gujarat Post | 2024-10-18 10:00:48
સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ થશે, બિશ્નોઈ ગેંગના નામે સુપરસ્ટારને મળી ધમકી- Gujarat Post | 2024-10-18 09:58:00
ગુજરાતમાં ED ના દરોડા, GST કૌભાંડમાં અમદાવાદ, જૂનાગઢ સહિત અનેક જગ્યાએ તપાસ | 2024-10-17 18:15:55
વીડિયો, નાઇજીરિયામાં પેટ્રોલ ટેન્કમાં થયેલા બ્લાસ્ટથી હાહાકાર, 90 લોકોનાં મોત થઇ ગયા | 2024-10-17 09:57:44
ભારતે કેનેડાના 6 રાજદ્વારીઓને હાંકી કાઢતા જસ્ટિન ટ્રુડોને લાગ્યું મરચું, તેમના બદલાયા સૂર | 2024-10-15 09:23:02
શું ટ્રમ્પ ફરી નિશાન પર હતા ? કેલિફોર્નિયામાં રેલી દરમિયાન બંદૂક સાથે ઝડપાયો એક વ્યક્તિ- Gujarat Post | 2024-10-14 09:04:16
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, કોલસાની ખાણમાં ગ્રેનેડ અને રોકેટ છોડાયા, 20 લોકોના મોત | 2024-10-11 09:51:51
કાનપુરમાં મહિલાઓ સુરક્ષિત નથીઃ 2 મહિનામાં 5 પતિઓએ પત્નીઓને ઉતારી મોતને ઘાટ- Gujarat Post | 2024-10-17 10:24:47
સલમાન ખાનની હત્યાનો પ્લાન બનાવી રહેલા શખ્સની પોલીસે કરી ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે | 2024-10-17 10:21:56
મોદી સરકારની ખેડૂતોને દિવાળી ગિફ્ટ... ઘઉં સહિત અનેક પાકો પર MSP વધારવાનો નિર્ણય | 2024-10-16 17:13:23
જમ્મુ-કાશ્મીરના સીએમ તરીકે ઓમર અબદુલ્લાએ લીધા શપથ, કોંગ્રેસના એક પણ મંત્રી નહીં | 2024-10-16 10:43:11