Thu,19 September 2024,6:54 am
Print
header

ગણેશ વિસર્જન દરમિયાન દહેગામ પાસે મેશ્વો નદીમાં ડૂબતા 8 લોકોનાં મોત, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

દુર્ઘટનાથી ગામમાં માતમનો માહોલ

નદી કિનારે મોટી સંખ્યામાં ભેગા થયા લોકો

પોલીસ કાફલો પણ દુર્ઘટના સ્થળે પહોંચ્યો

ગાંધીનગરઃ ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે, દહેગામનાં વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં ડૂબી જતા 8 લોકોનાં મોત થયા છે અને 2 લોકોની શોધખોળ થઇ રહી છે.

ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો અહીં ભેગા થયા હતા, તે વખતે નદીના પાણીમાં 10 લોકો ડૂબી ગયા હતા. તહેવાર સમયે જ 8 લોકોનાં મોતથી પરિવારોમાં આઘાત છે, જે અન્ય લોકો ગુમ છે, તેમના પરિવારના સભ્યો પણ અહીં પહોંચ્યાં છે.

દુર્ઘટનાના સમાચાર મળતા પોલીસ કાફલો અને સામાજિક આગેવાનો અહીં પહોંચ્યાં છે. હાલમાં 2 લોકોની શોધખોળ થઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch