ભૂજ: કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ભારે વરસાદ અને પૂરના પ્રકોપને પગલે રહસ્યમય તાવને કારણે 4 બાળકો સહિત 12 લોકોનાં મોત થયા છે. દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્યએ જણાવ્યું કે ડૉક્ટરો તાવની સારવાર કરી રહ્યાં છે, પરંતુ મોતનો આંકડો વધી રહ્યો છે.
અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ ન્યુમોનાઇટીસ છે. જો કે તેની પુષ્ટિ થઈ નથી. તાલુકામાં તબીબી સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. H1N1, સ્વાઈન ફ્લૂ, ક્રિમિઅન-કોંગો ફીવર, મેલેરિયા, ડેન્ગ્યુના ભયને ધ્યાનમાં રાખીને સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે.
મોત માટે ન્યુમોનાઇટીસ જવાબદાર હોવાનો અંદાજ
તે ચેપી રોગ હોવાનું જણાતું નથી. આ મોતનું મુખ્ય કારણ ન્યુમોનાઇટીસ હોવાનું માનવામાં આવે છે. આરોગ્ય વિભાગની 22 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહી છે.
તાવના કારણે 12 લોકોનાં મોત થયા
કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા જાડેજાએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે 3 સપ્ટેમ્બરથી બેખડા, સનાંદ્રો, મોર્ગર અને ભરવંધ ગામમાં તાવને કારણે 12 લોકોનાં મોત થયા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખે હપ્તાખોરી કરી, ભાજપથી નારાજ જવાહર ચાવડાનો પીએમ મોદીને પત્ર | 2024-09-17 14:26:49
New Delhi CM: દિલ્હીના નવા મુખ્યમંત્રી બનવા જઇ રહેલી આતિશીની આ છે રાજકીય સફર- Gujarat Post | 2024-09-17 14:06:09
સુરેન્દ્રનગરના 55 વર્ષના આ સરકારી બાબુએ લાંચ લીધી અને ગુજરાત ACB એ ઝડપી લીધા | 2024-09-17 14:00:33
પીએમ મોદીએ રાજભવનમાં નેતાઓના લીધા ક્લાસ.. ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દે ટકોર કરી હોવાની ચર્ચાં | 2024-09-17 12:03:19
Delhi New CM: આતિશી હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, કેજરીવાલના પ્રસ્તાવને ધારાસભ્ય દળની બેઠકમાં મળ્યું સમર્થન- Gujarat Post | 2024-09-17 11:34:22
દેશમાં સોલર પોલિસી લાવનારું ગુજરાત પ્રથમ રાજ્ય, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બનશેઃ મોદી | 2024-09-16 14:55:53
ઉદ્ઘઘાટનના થોડા કલાક પહેલા જ ભૂજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનું બદલાયું નામ, પીએમ મોદીએ આપી લીલીઝંડી- Gujarat Post | 2024-09-16 14:52:43
Kheda News: કઠલાલના મહુધામાં ઘર્ષણ...ભડકાઉ પોસ્ટ મામલે ફરિયાદ કરીને આવતા યુવકો પર 2000 લોકોના ટોળાએ કર્યો હુમલો- Gujarat Post | 2024-09-15 11:42:07
સરદાર સરોવર ડેમની જળ સપાટી 136 મીટર પાર, ઘણા ગામો એલર્ટ મોડ પર, વહીવટીતંત્રે આપી ચેતવણી | 2024-09-15 09:22:40