Sat,21 September 2024,5:57 am
Print
header

ઉત્તરાખંડમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની બસ ખીણમાં ખાબકી, 7 લોકોનાં મોત- અનેક ઘાયલ

ઉત્તરાખંડઃ વરસાદની સિઝનમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, ગંગોત્રી હાઇવે પર એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી છે, જેમાં 7 ગુજરાતીઓનાં મોત થઇ ગયા છે અને 24 જેટલા ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે. ગંગોત્રી હાઇવે પર ગંગનાની નજીક આ ભયાનક બસ અકસ્માત થયો છે.

આ બસમાં સવાર 30 જેટલા યાત્રિકો ભાવનગરના રહેવાસી હતા, અકસ્માતની જાણ થતા જ સ્થાનિક તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને ઘાયલોને બહાર લાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો માટે લાગણી વ્યક્ત કરી છે, ગુજરાત સરકાર ઉત્તરખંડ સરકારના સંપર્કમાં છે અને તમામ માહિતી લેવામાં આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch