અમદાવાદઃ જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરીને તેને માર મારવાના અને એટ્રોસિટીના કેસમાં ગણેશ ગોંડલને જામીન મળી ગયા છે, ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યાં છે. હાઇકોર્ટે કેટલીક શરતોને આધીન ગણેશ અને તેના 4 સાથીઓને જામીન આપ્યાં છે. જેમાં જૂનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે.
ગણેશ ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય અનિરુદ્ધસિંહ જાડેજાનો પુત્ર છે. થોડા સમય પહેલા જૂનાગઢમાં દલિત યુવક સાથે માથાકૂટ થયા પછી તેનું અપહરણ કરીને તેને ગોંડલ લાવવામાં આવ્યો હતો, તેને નગ્ન કરીને માર મરાયો હતો અને ગાળો આપવામાં આવી હતી, આ મામલે જૂનાગઢ પોલીસે ગણેશ (જ્યોતિરાદિત્યસિંહ જાડેજા) અને તેના સાથીઓ સામે ગુનો દાખલ કર્યો હતો અને તેમની ધરપકડ કરી હતી.
આ કેસમાં ગણેશ અને તેના 4 સાથીઓને જામીન મળ્યાં છે. 6 મહિના સુધી તેઓ જૂનાગઢમાં પ્રવેશી શકશે નહીં. બીજી તરફ ગણેશની હાલમાં જ ગોંડલ નાગરિક બેંકમાં વાઇસ ચેરમેન તરીકે નિમણૂંક થઇ છે. તે જેલમાંથી ચૂંટણી લડીને જીત્યો હતો. બેંકના ચેરમેન તરીકે અશોક પીપળીયા ત્રીજી વખત ચેરમેન બન્યાં છે.
નોંધનિય છે કે આ કેસમાં દલિત સંગઠનોએ જાડેજા પરિવાર સામે રેલી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો, પરંતુ બાદમાં જૂનાગઢના દલિત પરિવારના કેટલાક સભ્યો સામે પણ ગુનો દાખલ થયો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સંસ્કારી નગરી વડોદરામાં ગેંગરેપથી હડકંપ, કોંગ્રેસ અને પ્રજાએ ભાજપ સરકાર સામે વ્યક્ત કર્યો રોષ | 2024-10-05 20:05:46
આ નવરાત્રી નથી....લવરાત્રી છે....સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ ઉભો કર્યો નવો વિવાદ | 2024-10-05 15:05:18
પિતાની હત્યાનું દર્દ...22 વર્ષ પહેલા પિતાની હત્યા થઇ હતી, પુત્ર ગોપાલસિંહે હવે હત્યારાની કરી નાખી હતી | 2024-10-05 09:28:07
વિદેશ મંત્રી એસ. જયશંકર જશે પાકિસ્તાન, સ્વ.સુષ્મા સ્વરાજે 9 વર્ષ પહેલા પાડોશી દેશની લીધી હતી મુલાકાત | 2024-10-04 17:37:35
Video: બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર બંધ થાય, ન્યૂયોર્કના આકાશમાં વિશાળ બેનરો દેખાયા- Gujarat Post | 2024-10-04 10:08:45
ટીવી સીરિયલોની આડ અસર, સુરતમાં સગા ભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી- Gujarat Post | 2024-10-04 09:45:36
Rajkot News: રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ ફોટો શેર કરાયા, મેયર સહિત અન્ય મહિલાઓ પણ હતા ગ્રુપમાં- Gujarat Post | 2024-09-21 17:15:21
રાજકોટનો સનસનીખેજ કિસ્સો....સોની પરિવારના 9 સભ્યોએ એક સાથે આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2024-09-21 14:32:17
રાજકોટઃ સ્વ.કેશુભાઈ પટેલની પુણ્યતિથી પર આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા યોજાશે વિશાળ સ્મરણાંજલી સભા | 2024-09-17 19:11:34
વિરોધીઓને જોરદાર ફટકો... ગણેશ ગોંડલે જેલમાં રહીને જીતી બેંકની ચૂંટણી- Gujarat Post | 2024-09-16 14:49:42