Fri,20 September 2024,8:02 pm
Print
header

જમ્મુ-કાશ્મીરઃ બસ અકસ્માતમાં 36 લોકોનાં મોતથી સનસની, 20 લોકો ઘાયલ

બસ ખીણમાં ખાબકતા સર્જાયો અકસ્માત

અકસ્માતમાં 36 લોકોનાં થઇ ગયા મોત

જમ્મુ-કાશ્મીરઃ ડોડાના અસ્સારમાં મુસાફરોથી ભરેલી એક બસ અંદાજે 350 ફૂટ ઉંડી ખીણમાં પડતા અકસ્માત સર્જાયો છે, જેમાં 36 જેટલા લોકોનાં મોત થઇ ગયા છે અને 20 જેટલા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ બસ કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી ત્યારે જ અચાનક આ અકસ્માત સર્જાયો હતો.હાલમાં ઘાયલોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, રેસક્યું માટે હેલિકોપ્ટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતુ.

સ્થાનિકો અને પોલીસે ઘાયલનો બહાર કાઢયાં હતા, પોલીસે મૃતદેહો બહાર કાઢીને તેમના પરિવારજનોને આ અંગે વાત કરી છે.આ અકસ્માત પર જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ દુખ વ્યક્ત કર્યું છે. તંત્ર દ્વારા ઘાયલોને મદદ કરાઇ રહી છે, આ અકસ્માત કંઇ રીતે થયો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આટલી મોટી સંખ્યામાં લોકોનાં મોત થતા તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch