Sat,21 September 2024,8:23 am
Print
header

જોધપુરમાં હૃદયદ્રાવક ઘટના, 6 મહિનાની બાળકી સહિત આખા પરિવારની કરી હત્યા, મૃતદેહને ઝૂંપડીમાં ખેંચી જઇને સળગાવી દીધા

જોધપુરઃ રાજસ્થાનના જોધપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં એક જ પરિવારના 4 લોકોની હત્યા કરીને તેમને સળગાવી દેવામાં આવ્યાં હતા. બદમાશોએ ઘરની બહાર સૂઈ રહેલા દંપતીનું ગળું દબાવી દીધું અને પછી તેમની સાથે ઝૂંપડીમાં સૂઈ રહેલી તેમની પુત્રવધૂ અને 6 મહિનાની પૌત્રીને સળગાવી દીધી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

એક જ પરિવારના 4 લોકોની ઘાતકી હત્યા

આ ઘટના જોધપુરના ઓસિયાં વિસ્તારના ચૌરાઈ ગામની છે. 60 વર્ષીય પુનારામ અને તેમની પત્ની 55 વર્ષીય ભંવરી દેવી બંને ઘરની બહાર સૂતા હતા. ત્યાં તેમની 25 વર્ષની પુત્રવધૂ ધાપુ અને 6 મહિનાની પૌત્રી મનીષા ઝૂંપડામાં સૂઈ રહી હતી. વહેલી સવારે કોઈએ ઘરની બહાર સૂઈ રહેલા દંપતીનું ગળું કાપી નાખ્યું હતું. પછી ઝૂંપડામાં સૂઈ રહેલી પુત્રવધૂ અને પૌત્રીની હત્યા કર્યાં પછી તેઓએ બધાને ઝૂંપડામાં મૂકીને આગ લગાવી દીધી હતી. આજુબાજુમાં રહેતા લોકોએ ઝૂંપડામાંથી ધુમાડો નીકળતો જોયો ત્યારે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તરત જ માટી અને પાણી નાખીને કાબુ મેળવ્યો હતો અને અંદર જોયું તો ચારેયના મૃતદેહ બળેલા જોવા મળ્યાં હતા.

ધારાસભ્યએ કહ્યું- હું પોતે સુરક્ષિત નથી

આ ઘટનાને લઈને આસપાસના ગામોના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને તેઓ રોષે ભરાયા હતા.ઘટનાની જાણ થતાં જ જોધપુર જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા અને ગ્રામ્ય એસપી ધર્મેન્દ્ર સિંહ યાદવ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જ્યારે ઓસિયાંના ધારાસભ્ય દિવ્યા મદેરનાને આ અંગેની જાણ થઈ તો તેમણે આ અંગે એસપી સાથે વાત કરી હતી. તેમણે આજે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવવાનું કહ્યું છે. દિવ્યા મદેરનાએ કહ્યું કે હું પોતે સુરક્ષિત નથી, 20-20 લોકો મારી કાર પર હુમલો કરે છે, હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી રહી નથી. પોલીસ સુરક્ષામાં મારા પર હુમલો થાય છે.

બદલો લેવા માટે કરી હત્યા ?

સુરતમાં મૃતક પુનારામના ભત્રીજા તેજારામે આત્મહત્યા કરી લીધી હતી. પુનારામના ભાઈ ભૈરારામને શંકા હતી કે પુનારામે તેની હત્યા કરાવી છે. આ બાબતે બંને ભાઈઓ વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. એક દિવસ, ગુસ્સામાં, પુનારામે કહ્યું કે હા, મેં હત્યા કરાવી છે. આ પછી બંને પરિવારો વચ્ચે મતભેદો વધુ વધી ગયા હતા. ભૈરારામના સૌથી નાના પુત્ર પપ્પુરામ પાસે તેના મોટા ભાઈની હત્યાનો બદલો લેવાનો પ્લાન હતો અને તે પુનારામના પુત્ર રેવતરામની હત્યા કરીને તેના ભાઈની હત્યાનો બદલો લેવા માંગતો હતો, જેના કારણે તે ત્યાં ગયો પણ રેવતરામ મળ્યો ન હતો. જેથી તેને આખા પરિવારની હત્યા કરી નાખી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch