Sat,21 September 2024,8:39 am
Print
header

પરિવારનો વિયોગ... જૂનાગઢ દાતાર રોડ પર મકાન ધરાશાયી દુર્ઘટના મામલે મૃતકના પત્નીએ એસિડ ગટગટાવીને જિંદગી ટૂંકાવી

જૂનાગઢઃ દાતાર રોડ પર મકાન ધરાશાયી થતા પરિવારના ચાર લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં મૃતક સંજયભાઇ ડાભીના પત્ની મયુરીબેને એસિડ ગટગટાવીને જિંદગી ટૂંકાવી દીધી છે. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું મોત થઇ ગયું છે.પતિ અને બે પુત્રોના વિરહમાં મયુરીબેને આ પગલુંભયું હોવાનું સામે આવ્યું છે.

જૂનાગઢ શહેરમાં રહેતા સંજયભાઈ ડાભી સોમવારે બપોરના સમયે રિક્ષામાં પોતાના પુત્ર દક્ષ અને તરુણ સાથે શાકભાજી લેવા માટે ગયા હતા. પિતા-પુત્રો જ્યારે કડિયાવાડ વિસ્તારમાં રિક્ષા લઈને પહોંચ્યાં ત્યારે જ જર્જરિત ઈમારતનો કાટમાળ રિક્ષા પર પડતા ત્રણેય દટાઈ ગયા હતા અને બાદમાં શોધખોળ બાદ પિતા-પુત્રોના મૃતદેહ મળી આવતા ડાભી પરિવાર પર આભ ફાટ્યું હતું.

આ બનાવના વિરહમાં સંજયભાઈના પત્ની મયુરીબેને પોતાના ઘરે એસિડ પીને આત્મહત્યા કરી લીધી છે. મયુરીબેનને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં તેમની હાલત ગંભીર હતી અને તેમનું મોત થઇ ગયું છે. પરિવારજનોએ સોમવારની ઘટના મામલે જવાબદાર મનપાના અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch