Sat,21 September 2024,12:44 am
Print
header

ખેડાઃ કઠલાલમાં કરંટ લાગતા દેરાણી- જેઠાણીના કરુણ મોત, ઘરના ધાબા પર કપડાં સુકવવા ગયા હતા

ખેડાઃ કઠલાલ તાલુકાના રઘનાથપુરામાં એક જ પરિવારની બે પુત્રવધુને કરંટ લાગતા પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે. બંને દેરાણી-જેઠાણી ધાબા પર કપડાં સૂકવવા જતા હતા.તે સમયે અચાનક વીજ વાયરને એક મહિલાને અડી જતા કરંટ લાગ્યો હતો. બીજી મહિલા તેમને બચાવવા જતા તેમને પણ કરંટ લાગ્યો હતો. બંને દેરાણી-જેઠાણીના એક સાથે મોત થતા બાળકો નોધારા બન્યો છે.

કઠલાલ તાલુકાનાં રઘનાથપુરામાં સુધાબેન દિલીપભાઈ ભોઈ અને સુરેખાબેન વિક્રમભાઈ ભોઈ બંને દેરાણી જેઠાણી સાથે રહેતા હતા. બપોરનાં સમયે એક મહિલા ઘરની છત પર કપડા સૂકવવા ગઇ હતી. તે સમયે જીવંત વીજ વાયરને અડી જતા મહિલાને કરંટ લાગ્યો હતો, તો અન્ય એક મહિલા તેમને બચાવવા જતા તેમને પણ કરંટ લાગ્યો હતો. બંનેના ઘટના સ્થળે મોત થયા છે.

આ ઘટનાના પગલે સ્થાનિકોને જાણ થતા સ્થળ પર દોડી આવ્યાં હતા. જે બાદ બંને મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે બંને મહિલાઓને મૃત જાહેર કરી હતી.બંનેના મોતના સમાચારથી પરિવાર સહિત આખા ગામમાં શોકનો માહોલ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch