ઓટાવાઃ મોદી સરકારે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને હિંસાને ધ્યાનમાં રાખીને કેનેડામાં હાજર અથવા તેની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકોને સાવધાની રાખવા કહેવામાં આવ્યું છે.
ભારત સરકારની આ એડવાઈઝરી કેનેડા માટે પણ યોગ્ય જવાબ છે. કારણ કે કેનેડા સરકારે એક એડવાઈઝરી બહાર પાડીને ભારતમાં રહેતા કેનેડિયન નાગરિકોને ઉચ્ચ સ્તરની સાવચેતી રાખવા વિનંતી કરી હતી. કેનેડા દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને ભારતમાં અત્યંત સાવધાની રાખવી જોઈએ. જો શક્ય હોય તો ભારતની બિન-જરૂરી મુસાફરી ટાળો.
ભારત સરકારે એડવાઇઝરી કરી જારી
એડવાઈઝરીમાં જણાવાયું કે તાજેતરની ધમકીઓએ ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયને નિશાન બનાવ્યાં છે. આ ધમકીઓએ ખાસ કરીને ભારત વિરોધી એજન્ડાની ટીકા કરનારાઓને નિશાન બનાવ્યાં છે. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડામાં કેટલાક સ્થળોની મુસાફરી ટાળે. જ્યાં આવી ઘટનાઓ બની છે.
કેનેડામાં રહેતા ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા ભારતના હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટ કેનેડિયન અધિકારીઓ સાથે સંપર્કમાં રહેશે. હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટ ઓફ ઈન્ડિયાએ એડવાઈઝરીમાં વધુમાં જણાવ્યું છે કે કેનેડામાં બગડતા વાતાવરણને ધ્યાનમાં રાખીને ભારતીય વિદ્યાર્થીઓને સાવધાની રાખવા સલાહ આપવામાં આવે છે.
કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓએ ઓટાવામાં ભારતીય હાઈ કમિશન અથવા ટોરોન્ટો અને વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની વેબસાઈટ અથવા MADAD પોર્ટલ madad.gov.in દ્વારા પોતાની નોંધણી કરાવવી આવશ્યક છે. જેથી કરીને કોઈ પણ કટોકટીના કિસ્સામાં તેમની સાથે વધુ સારી રીતે સંપર્ક કરી શકાય.
Advisory for Indian Nationals and Indian Students in Canada:https://t.co/zboZDH83iw pic.twitter.com/7YjzKbZBIK
— Arindam Bagchi (@MEAIndia) September 20, 2023
ભારતે ફરી એકવાર જડબાતોડ જવાબ આપ્યો
છેલ્લા 48 કલાકમાં ભારતે બે વાર કેનેડાની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપ્યો છે. કેનેડાએ પહેલા ભારત પર ખાલિસ્તાની આતંકવાદી રાજદીપ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો અને સોમવારે એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો, ત્યાર બાદ જેવા સાથે તેવા નીતિ હેઠળ ભારતે કેનેડાના રાજદ્વારીને પાંચ દિવસમાં કેનેડા પાછા જવાનો આદેશ આપ્યો છે. હવે બંને દેશો વચ્ચે ખાલિસ્તાનીઓને લઇને તનાવ વધી રહ્યો છે.ખાલિસ્તાનીઓએ પણ કેનેડામાં વસતા ભારતીયોને ધમકી આપી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ક્ષત્રિય મહાસંમેલનમાં બબાલ, રૂપાલા સામે સૌથી વધુ લડેલા પદ્મીની બા વાળાએ આગેવાનોને લીધા આડેહાથ | 2024-09-20 17:52:04
ઘરના દરવાજા પાસે અચાનક ધડાકા સાથે ફાટી જમીન, જોત જોતામાં મહિલા સમાઈ ગઈને પછી..... | 2024-09-20 11:39:22
ક્ષત્રિયોના નવા સંગઠન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી- Gujarat Post | 2024-09-20 11:34:54
Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા, સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી | 2024-09-20 11:16:42
આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- આ અમાનવીય વર્તન | 2024-09-20 09:06:02
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55
લોહિયાળ બદલો... હિઝબુલ્લાએ 5 મીનિટમાં ઈઝરાયેલ પર 20 રોકેટ છોડ્યાં, જાણો- ઈઝરાયેલે શું કહ્યું? | 2024-09-19 09:10:42
US Elections 2024: આગામી સપ્તાહે પીએમ મોદી સાથે મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, ચૂંટણી પ્રચારમાં થઈ જાહેરાત- Gujarat Post | 2024-09-18 11:36:42
લેબનોન પેજર બ્લાસ્ટમાં 9 લોકોનાં મોતથી ઇઝરાયેલ સામે હિઝબુલ્લા લાલઘૂમ, ઈરાનના રાજદૂત પણ બન્યાં બ્લાસ્ટનો શિકાર | 2024-09-18 09:03:02
ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ જોરદાર પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાગી લાંબી લાઈનો | 2024-09-20 09:02:28
અમેરિકામાં વ્યાજદરમાં થયેલા ઘટાડાની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર, માર્કેટની શરૂઆત જોરદાર તેજીથી થઈ | 2024-09-19 10:04:35
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59
બિહારઃ જ્યાં પહેલા મકાનો હતા ત્યાં હવે રાખ બચી છે... દલિત કોલોનીમાં લાગી આગ, લોકોએ ડરમાં વિતાવી રાત | 2024-09-19 08:58:15