મોરબીઃ મોરબીમાં વેપારી પરિવારના ત્રણ લોકોએ સામૂહિક આપઘાત કરી લીધો છે. વેપારીએ તેનાં પત્ની અને દીકરા સાથે આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાયો છે. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા, પોલીસને ઘટના સ્થળેથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં અંગત કારણોસર આ પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મોરબીમાં આવેલા રોયલ પેલેસમાં ચોથા માળે રહેતા અને હાર્ડવેરનો ધંધા કરતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (ઉ.વ- 57) તેમના પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (ઉ.વ - 55) અને પુત્ર હર્ષ હરેશભાઈ કાનાબાર (ઉ.વ - 19)એ આપઘાત કરી લીધો છે. આ ઘટનાની જાણ થતા મોરબી પોલીસ સ્થળે પર પહોંચી હતી અને ત્રણેયના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટના સ્થળેથી પોલીસને નોટ મળી આવી છે. જેમાં લખ્યું છે આ ઘટના માટે કોઈ જવાબદાર નથી અને કોઇએ રડવું નહીં. તેમને પોતે જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ મોરબી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં સોલર પોલિસી લાવનારું ગુજરાત પ્રથમ રાજ્ય, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બનશેઃ પીએમ મોદી – Gujarat Post | 2024-09-16 14:55:53
ઉદ્ઘાટનના થોડા કલાક પહેલા જ ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનું બદલાયું નામ, પીએમ મોદી સાંજે આપશે લીલીઝંડી – Gujarat Post | 2024-09-16 14:52:43
ગુજરાતની પ્રથમ ઘટના, ગણેશ ગોંડલે જેલમાં રહીને જીતી બેંકની ચૂંટણી – Gujarat Post | 2024-09-16 14:49:42
PM મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે, જાણો તેની ખાસિયતો | 2024-09-16 09:57:51
ફ્લોરિડામાં થયેલા હુમલામાં ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ, એક શંકાસ્પદ કસ્ટડીમાં: FBI | 2024-09-16 09:40:07
જેલમાં બંધ ગણેશ ગોંડલનું વર્ચસ્વ ખતમ થશે કે પછી... આજે ગોંડલ નાગરિક બેંકના પરિણામ પર નજર- Gujarat Post | 2024-09-15 12:00:27
Kheda News: કઠલાલના મહુધામાં ઘર્ષણ...ભડકાઉ પોસ્ટ મામલે ફરિયાદ કરીને આવતા યુવકો પર 2000 લોકોના ટોળાએ કર્યો હુમલો- Gujarat Post | 2024-09-15 11:42:07
સરદાર સરોવર ડેમની જળ સપાટી 136 મીટર પાર, ઘણા ગામો એલર્ટ મોડ પર, વહીવટીતંત્રે આપી ચેતવણી | 2024-09-15 09:22:40
ખેડા જિલ્લા ભાજપ મોરચાનો મંત્રી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતાં ઝડપાયો- Gujarat Post | 2024-09-12 15:13:11
બાયડઃ સ્વામીનારાયણ સંપ્રદાયના ચાર ઠગ સ્વામીઓ સામે લૂક આઉટ નોટિસ જાહેર, કરોડોની છેતરપિંડી આચરીને થયા ફરાર | 2024-09-12 09:29:08