Sat,21 September 2024,5:57 am
Print
header

રાજ્યમાં અકસ્માતનો વણથંભ્યો સિલસિલો, આણંદમાં એસટીની ટક્કરથી બે લોકોનાં મોત- Gujarat Post

આણંદઃ રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. આજે આણંદના આંકલાવની નવાખલ ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં એક બાળક અને યુવકનું મોત થયું છે. એસટી બસે એક  બાઇકને ટક્કર મારતાં આ ઘટના બની હતી. એસટી બસ ગંભીરાથી બોરસદ જઈ રહી હતી, ત્યારે નવાખલ ચોકડી નજીકે બાઇકને અડફેટે લેતાં બે લોકોના મોત થયા હતા.અકસ્માત બાદ એસટી બસનો ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. ગઈકાલે અમદાવાદ-બગોદરા હાઇવે પર અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા હતા.

ડભોઇ રોડ પર આવેલા કેલનપુર ગાન નજીક ટ્રકની ટક્કર વાગતા સ્કૂટર સવાર બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. બંનેના મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયા છે. બનાવ  અંગે વરણામા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ રોડ કેલનપુરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો. આજવા રોડ જયઅંબે નગરમાં રહેતો 32 વર્ષનો અમિત ગોપાલભાઇ રાઠોડ અને કિશનવાડી ખોડિયાર ચોકમાં રહેતો 28 વર્ષનો પ્રકાશ નરેન્દ્રભાઇ સોની આજે રાતે સ્કૂટર લઇને વડોદરા તરફ આવી રહ્યાં હતા. કેલનપુર ગામ નજીક આવેલા તતારપુરા ગામના કટ નજીક કેળા ભરેલી એક ટ્રકના ચાલકે તેઓને ટક્કર મારતા બંને રોડ પર ફંગોળાયા હતા.ટ્રકની આગળના ભાગથી ટક્કર વાગતા રોડ પર પડેલા યુવાનો પર ટ્રકના પૈંડા ફરી વળ્યાં હતા. જેના  પરિણામે બંનેના સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત થયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch