Sat,21 September 2024,1:03 am
Print
header

પાકિસ્તાનમાં મસ્જીદની બહાર આત્મઘાતી હુમલામાં 52 લોકોનાં મોત, અનેક લોકો ઘાયલ

પાકિસ્તાનઃ અહીના બલુચિસ્તાન વિસ્તારમાં એક મસ્જીદ બહાર થયેલા આત્મઘાતી હુમલામાં 52 લોકોનાં મોત થઇ ગયા છે અને 125 થી વધુ લોકો ઘાયલ થયા છે, અહીં અફડાતફડીનો માહોલ છે, ઘાયલોને જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે, આત્મઘાતી બોમ્બરે આ હુમલો કર્યાં પછી અહીં લોહીના ખાબોચિયા દેખાયા હતા, લાશોના ઢગ થઇ ગયા છે.

અહીં ઇદના ઝુલુસમાં લોકો આવ્યાં હતા તે વખતે જ આ હુમલો કરવામાં આવ્યો હતો. સેના અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી ચાલી રહી છે, મસ્તુંક જિલ્લામાં એક મસ્જીદની બહાર જ આત્મઘાતી હુમલાખોરે પોતાને ઉડાવી દીધો હતો, બોમ્બ બ્લાસ્ટની તીવ્રતા એટલી ખતરનાક હતી કે 52 લોકોનાં ત્યાં જ મોત થઇ ગયા અને આસપાસની ઇમારતોને પણ ભારે નુકસાન થયું છે.

સુરક્ષા એજન્સીઓએ આ બ્લાસ્ટને લઇને તપાસ શરૂ કરી છે, આસપાસમાં લોકોની પૂછપરછ થઇ રહી છે, હજુ સુધી કોઇ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી. રાજકીય પાર્ટીઓએ આ હુમલાની નીંદા કરીને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch