ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઇંધણની ટાંકી વહન કરતી એક પીકઅપ વાન પેસેન્જર બસ સાથે અથડાઈ હતી, જેના કારણે બસમાં ભીષણ આગ લાગી હતી. જેમાં મહિલાઓ અને બાળકો સહિત 18 લોકોનાં મોત થયા હતા.જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે બસ કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહી હતી. બસમાં લગભગ 40 લોકો સવાર હતા. રવિવારે સવારે 4.30 વાગ્યે લાહોરથી લગભગ 140 કિલોમીટર દૂર ફૈસલાબાદ મોટરવેના પિંડી ભટ્ટિયાન સેક્શન પર બસ એક વાન સાથે અથડાઈ હતી.
માર્ગ અકસ્માતમાં 18 મુસાફરોનાં મોત
આઈજી સુલતાન ખ્વાજાએ જણાવ્યું કે બસ મોટરવેના પિંડી ભાટિયન સેક્શન પર ઈંધણની ટાંકી લઈ જતી વાનને બસે પાછળથી ટક્કર મારી હતી. જેને કારણે બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.આ અકસ્માતમાં 18 મુસાફરોના મોત થયા હતા. અકસ્માતમાં દાઝી ગયેલા અન્ય 16 લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. કારણ કે ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
અકસ્માતમાં બસના બંને ડ્રાઈવરોના મોત નિપજ્યાં હતા
આઈજીએ જણાવ્યું કે આગ દરમિયાન જે મુસાફરો બસમાંથી કૂદવામાં સફળ રહ્યાં હતા. તેઓ બચી ગયા હતા. બંને વાહનોમાં આગ લાગવાને કારણે અન્ય લોકોને નીચે ઉતરવાની તક મળી ન હતી. અકસ્માતમાં બસના બંને ડ્રાઈવરોના મોત થયા છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જો પીકઅપ વાનમાં ઇંધણની ટાંકી ન હોત તો બંને વાહનોમાં આગ ન લાગી હોત.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાર્યવાહક મુખ્યમંત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. કહ્યું કે જે લોકોએ જીવ ગુમાવ્યો તેમની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે, ત્યારબાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. પાકિસ્તાનના પંજાબના કાર્યકારી મુખ્ય પ્રધાન મોહસિન નકવીએ અકસ્માતમાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું અને સંબંધિત અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ક્ષત્રિય મહાસંમેલનમાં બબાલ, રૂપાલા સામે સૌથી વધુ લડેલા પદ્મીની બા વાળાએ આગેવાનોને લીધા આડેહાથ | 2024-09-20 17:52:04
ઘરના દરવાજા પાસે અચાનક ધડાકા સાથે ફાટી જમીન, જોત જોતામાં મહિલા સમાઈ ગઈને પછી..... | 2024-09-20 11:39:22
ક્ષત્રિયોના નવા સંગઠન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી- Gujarat Post | 2024-09-20 11:34:54
Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા, સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી | 2024-09-20 11:16:42
આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- આ અમાનવીય વર્તન | 2024-09-20 09:06:02
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55
લોહિયાળ બદલો... હિઝબુલ્લાએ 5 મીનિટમાં ઈઝરાયેલ પર 20 રોકેટ છોડ્યાં, જાણો- ઈઝરાયેલે શું કહ્યું? | 2024-09-19 09:10:42
US Elections 2024: આગામી સપ્તાહે પીએમ મોદી સાથે મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, ચૂંટણી પ્રચારમાં થઈ જાહેરાત- Gujarat Post | 2024-09-18 11:36:42
લેબનોન પેજર બ્લાસ્ટમાં 9 લોકોનાં મોતથી ઇઝરાયેલ સામે હિઝબુલ્લા લાલઘૂમ, ઈરાનના રાજદૂત પણ બન્યાં બ્લાસ્ટનો શિકાર | 2024-09-18 09:03:02
ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ જોરદાર પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાગી લાંબી લાઈનો | 2024-09-20 09:02:28
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59