Sat,21 September 2024,12:46 am
Print
header

પંચમહાલઃ ઘોઘંબાના ગજાપુરાના તળાવમાં ડૂબી જવાથી 4 બાળકોનાં મોત, પરિવારમાં માતમ છવાયો

ઘોઘંબાના ગજાપુરા ગામના તળાવમાં ન્હાવા પડેલા 4 બાળકોના ડૂબ્યાં

ચારેય બાળકોને મૃત હાલતમાં તળાવમાંથી બહાર કઢાયા હતા

પંચમહાલઃ ઘોઘંબાના ગજાપુરા ગામના તળાવમાં ન્હાવા પડેલા 4 બાળકોના ડૂબવાથી મોત થયા છે. ઘટનાની જાણ થતા સ્થળ પર ગામવાસીઓના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તળાવમાં બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન ચારેય બાળકોના મૃત હાલતમાં તળાવમાંથી બહાર કઢાયા હતા.

ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઘટના સ્થળે દોડી આવ્યાં

4 બાળકોના મોત થતા પરિવારો અને ગામમાં શોકનો માહોલ છવાયો

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં આવેલા તળાવમાં સવારે બાળકો ન્હાવા પડ્યાં હતા. પાણી ઉંડુ હોવાથી ચારેય બાળકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા, તમામ બાળકોની ઉંમર અંદાજે 9 થી 11 વર્ષ વચ્ચેની હતી. ચારેય બાળકોના મોત થતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે.આ ઘટના અંગેની જાણ થતાં જ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.

મૃતક બાળકોમાં સંજય વીરાભાઈ બારિયા,(ઉ.વ-10 વર્ષ), રાહુલ રમેશભાઈ બારિયા (ઉ.વ-11), પુરુષોત્તમ રાજુભાઇ બારિયા,(ઉ.વ-9), અંકિત અરવિંદભાઈ બારિયા (ઉ.વ-11) નો સમાવેશ થાય છે. સંજયસિંહ બારિયા અને પુરુષોત્તમ રાજુભાઇ બારિયા માતા-પિતાના એકના એક સંતાન હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch