Thu,19 September 2024,6:48 am
Print
header

સૌથી મોટો શાબ્દિક હુમલો....રાહુલ ગાંધીને દેશનો નંબર-1 આતંકવાદી ગણાવતા કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ

રાહુલ ગાંધીના માથા પર તો ઇનામ હોવું જોઇએઃ રવનીતસિંહ

નવી દિલ્હીઃ હાલમાં જ અમેરિકામાં જઇને ભારત સરકારની જોરદાર ટીકા કરીને ભારતમાં શું ચાલી રહ્યું છે તે બધી વાતો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે, જ્યાં તેમને શીખ સમાજ માટે પણ એક ટિપ્પણી કરી હતી, જેના પર કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુએ ગુસ્સો વ્યક્ત કર્યો છે, તેમને કહ્યું કે રાહુલ દેશનો એક નંબરનો આતંકવાદી છે.

બિટ્ટુએ કહ્યું કે કે રાહુલ ગાંધી શીખોમાં ભાગલા પડાવવા આ બધું કરી રહ્યાં છે. જે લોકોએ બોમ્બ અને દારૂગોળાનો ઉપયોગ કર્યો છે, જેમણે ટ્રેનોમાં વિસ્ફોટ કર્યા છે તેવા લોકો રાહુલ ગાંધીના સમર્થનમાં ઉભા છે. એક રીતે તેમને આતંકીઓના મોટા સમર્થક ગણાવી દીધા છે.

શીખોને પાઘડી અને કડું પહેરવાનો અધિકાર છે કે નથી, તેઓ ગુરુદ્ધારા જઇ શકે છે નહીં, આવી વાતો પર અમારા દેશમાં લડાઇ થાય છેઃ રાહુલ

રાહુલ ગાંધી વધુ સમય બહાર રહે છે અને તેમને દેશ માટે કોઇ લાગણી નથી, રાહુલને કોઇ સમજ નથી અને પાંચ વખત સાંસદ બન્યાં છંતા તેમને ગરીબો વિશે કે દેશ વિશે ખબર નથી પડતી, સેનામાં શીખો દેશની રક્ષા કરે છે અને રાહુલ ગાંધીએ દેશની રક્ષા કરનારા સૈનિકોનું અપમાન કર્યું છે, રાહુલ ગાંધી અને કોંગ્રેસે મુસ્લિમોનો ઉપયોગ કરવાના બધા જ પ્રયાસો કર્યાં છે. સાથે જ બિટ્ટે કહ્યું કે રાહુલ ગાંધીના માથે તો મોટું ઇનામ હોવું જોઇએ.

નોંધનિય છે કે રાહુલે અમેરિકામાં પીએમ નરેન્દ્ર મોદી, સંઘ અને હિન્દુ સમાજને લઇને વિવાદીત વાતો કરી છે, જે મામલે ભાજપ અને સંઘ પણ રાહુલ ગાંધી સામે નારાજ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch