રાજસ્થાનઃ ભરતપુરમાં એક ગંભીર અકસ્માતમાં 11 ગુજરાતીઓનાં મોત થયા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતાં જ લખનપુર, નાદબાઈ, હલાઈના અને વાઘર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે હોબાળો મચી ગયો હતો. મૃતકોમાં છ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ભાવનગરના રહેવાસી છે. ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર, રાજસ્થાનના ભરતપુરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા મંજૂર કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવાની મદદની જાહેરાત કરી છે.
આ બસ ભાવનગરથી મથુરા જઈ રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. કસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા. હાજર લોકોએ દરેક મૃતદેહને રસ્તા વચ્ચેથી હટાવીને એક બાજુએ રાખ્યા હતા. હાઇવે પર જામ થઈ ગયો હતો. ટ્રેલરે પાછળથી પાર્ક કરેલી બસને ટક્કર મારી હતી. અકસ્માતની માહિતી મળતા લખનપુર, નાદબાઈ, હલાઈના, વાઘર સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મુસાફરોથી ભરેલી બસ ભાવનગરથી મથુરા હરિદ્વાર જવા માટે શ્રદ્ધાળુઓને લઈ જઈ રહી હતી.
ભાવનગરના રહેવાસી ઈજાગ્રસ્ત બાલાભાઈએ જણાવ્યું કે તેઓ ભાવનગરથી હરિદ્વાર જઈ રહ્યાં હતા, ભાવનગર અને આજુબાજુના વિસ્તારના તેમના ગામના ભક્તોની આખી મંડળી બસમાં હાજર હતી, જેમાં 55 થી 57 સ્ત્રી-પુરુષ ભક્તો હતા. બસમાં ડીઝલ ખતમ થઈ ગયું હતું, જેથી બસ હાઈવે પર ઊભી રાખવામાં આવી હતી. ડ્રાઈવર કંડક્ટર ડીઝલની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતા. કેટલાક મુસાફરો નીચે ઉતર્યાં હતા. જ્યારે કેટલાક બસમાં સૂતા હતા, ત્યારે અચાનક એક ટ્રેલર વાહને તેમને પાછળથી ટક્કર મારી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ક્ષત્રિય મહાસંમેલનમાં બબાલ, રૂપાલા સામે સૌથી વધુ લડેલા પદ્મીની બા વાળાએ આગેવાનોને લીધા આડેહાથ | 2024-09-20 17:52:04
ઘરના દરવાજા પાસે અચાનક ધડાકા સાથે ફાટી જમીન, જોત જોતામાં મહિલા સમાઈ ગઈને પછી..... | 2024-09-20 11:39:22
ક્ષત્રિયોના નવા સંગઠન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી- Gujarat Post | 2024-09-20 11:34:54
Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા, સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી | 2024-09-20 11:16:42
આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- આ અમાનવીય વર્તન | 2024-09-20 09:06:02
સુરતીઓ સાવધાન રહેજો...પરીએ યુવકનો ન્યૂડ વીડિયો બનાવીને પૈસા પડાવ્યાં, કંટાળીને યુવકે આપઘાત કરી લીધો | 2024-09-19 08:36:05
ડસ્ટબિનમાંથી મળ્યું અંદાજે 56 લાખ રૂપિયાનું સોનુ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીએ દેખાડી ઇમાનદારી | 2024-09-18 12:04:25
ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ જોરદાર પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાગી લાંબી લાઈનો | 2024-09-20 09:02:28
અમેરિકામાં વ્યાજદરમાં થયેલા ઘટાડાની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર, માર્કેટની શરૂઆત જોરદાર તેજીથી થઈ | 2024-09-19 10:04:35
લોટસ 300 કંપનીમાં દરોડાઃ નિવૃત્ત IAS નીકળ્યાં ધનકુબેર, ઘરને બનાવી રાખ્યું હતું હીરાનો ભંડાર, EDને પણ યાદ રહેશે આ દરોડા | 2024-09-19 09:22:59
બિહારઃ જ્યાં પહેલા મકાનો હતા ત્યાં હવે રાખ બચી છે... દલિત કોલોનીમાં લાગી આગ, લોકોએ ડરમાં વિતાવી રાત | 2024-09-19 08:58:15
યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં કર્યો ઘટાડો, સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખશે અસર | 2024-09-19 09:35:55