Sat,21 September 2024,3:13 am
Print
header

આ વિવાદ શાંતિથી ઉકેલવો જોઇએ, હવે સાળંગપુર મંદિરમાં એક વ્યક્તિએ કરી જોરદાર તોડફોડ

રાણપુર તાલુકાના ચારણકી ગામના હર્ષદ ગઢવીએ કરી તોડફોડ

બોટાદઃ સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રોનો વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો છે, સાધુ-સંતો હવે સ્વામીનારાયણ મંદિરના વિરુદ્ધમાં ભેગા થઇ રહ્યાં છે, આજે એક વ્યક્તિ લોખંડનું હથિયાર લઇને પહોંચ્યો હતો અને કિંગ ઓફ સાળંગપુરના નીચેના ભીંતચિત્રો તોડી નાખ્યાં હતા, જો કે પોલીસ અહીં આવી ગઇ હતી અને આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. આ વ્યક્તિ અચાનક જ મંદિર પરિષરમાં પહોંચી ગયો હતો અને બોલતો હતો કે કોઇ મારી પાસે આવતા નહીં નહીંતો મારી નાખીશ.

હનુમાનજીને દાસ બતાવવાના ચિત્રો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે, મંદિર પરિષરમાં આ ભીંતચિત્રો પર કાળો રંગ લગાવ્યો અને પછી તેની તોડફોડ કરી છે. આ વીડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થયો છે, લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.

બીજી તરફ મંદિરને આ ચિત્રો હટાવી લેવા અનેક સાધુ સંતોએ અપીલ કરી છે, તેમ છંતા મંદિર ટ્રસ્ટે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી, જેને લઇને વિવાદ ઉગ્ર બની રહ્યો છે, આ વિવાદ શાંતિથી ચર્ચાથી ઉકેલવાને જગ્યાએ કેટલાક લોકો ઉગ્ર બની રહ્યાં છે, જેમને કેટલાક સંતોએ શાંત રહેવા અપીલ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch