Sat,21 September 2024,6:02 am
Print
header

ચંદ્રયાન-3 અપડેટ, વિક્રમ લેન્ડર પ્રોપલ્શન મોડ્યુલથી થઇ ગયું અલગ, હવે એકલું કરશે આગળની સફળ

નવી દિલ્હીઃ સમગ્ર દેશની નજર ચંદ્રયાન-3 પર ટકેલી છે,આજે આ યાત્રામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન ઉમેરાયું છે. વિક્રમ લેન્ડર પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું છે અને લેન્ડિંગ સુધી એકલા મુસાફરી કરશે. ISROના વૈજ્ઞાનિકો આજે મિશન ચંદ્રયાન 3ને લઈને એક મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરી હતી. આજે લેન્ડર વિક્રમને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરવામાં આવ્યું હતુ, બપોરે લગભગ 1 વાગ્યે પ્રોપલ્શન મોડ્યુલની મદદથી વિક્રમ લેન્ડર રોવર સાથે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું છે, હવે લેન્ડર વિક્રમ પોતાની જાતે આગળની મુસાફરી નક્કી કરશે.

ચંદ્રયાન-3, 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે

જ્યારે ચંદ્રથી લઘુત્તમ અંતર 30 કિમી હશે, ત્યારે લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરવાની યાત્રા શરૂ કરશે અને આ 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે થશે. જોકે, સોફ્ટ લેન્ડિંગની આ પ્રક્રિયામાં હજુ પણ ઘણા પડકારો છે. ચંદ્રયાન-3 એ ચંદ્ર અવકાશયાનનો અડધો ભાગ પૂર્ણ કરી લીધો છે અને તે 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે.

ચંદ્રયાન-3 ની સફર

- જુલાઈ 14, 2023: ચંદ્રયાન-3નું LVM3 રોકેટ સાથે બપોરે 2.45 વાગ્યે પ્રક્ષેપણ કર્યું. 16 મિનિટ પછી, રોકેટે ચંદ્રયાન-3ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં છોડ્યું.

-  જુલાઈ 14 - જુલાઈ 31, 2023: ચંદ્રયાન-3 પૃથ્વીની પરિક્રમા કરવાનું ચાલુ રાખે છે. એન્જિન ફાયરિંગ સાથે, અવકાશયાન તેની લંબગોળ ભ્રમણકક્ષામાં 5 ગણો વધારો કરે છે.

- 1 ઓગસ્ટ, 2023: ચંદ્રયાન-3નું ભ્રમણકક્ષા સ્થાનાંતરણ થયું. અવકાશયાન ચંદ્ર તરફ આગળ વધવા લાગ્યું.

-  5 ઓગસ્ટ, 2023: ચંદ્રયાન-3 અવકાશયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું

- 16 ઓગસ્ટ, 2023: ચંદ્રયાન-3 ચંદ્રની પાંચમી ભ્રમણકક્ષામાં પહોંચ્યું

- 17 ઓગસ્ટ, 2023: લેન્ડર ચંદ્રથી 100 કિમી ઉપરના પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું, લેન્ડર 100x30 કિમીની ભ્રમણકક્ષામાં ઝડપ ઓછી કરવાનું શરૂ કરશે

- 23 ઓગસ્ટ, 2023: લેન્ડર સાંજે 5:47 વાગ્યે ચંદ્ર પર ઉતરશે. રોવર રેમ્પમાંથી બહાર નીકળશે અને ચંદ્રની સપાટી પર 14 દિવસ સુધી પ્રયોગો કરશે.

ચંદ્રયાનનો હેતુ શું છે ?

ભારત ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રનો અભ્યાસ કરવા માંગે છે. તે ચંદ્ર સંબંધિત તમામ રહસ્યો પરથી પડદો હટાવી દેશે. ચંદ્રયાન 3 ચંદ્રની સપાટીની તસવીરો મોકલશે. તે પર્યાવરણ, ખનિજો, માટી વગેરેને લગતી તમામ માહિતી એકત્રિત કરશે. 2008 માં જ્યારે ISRO એ ભારતનું પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાન-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું, ત્યારે તેણે ચંદ્રની પરિક્રમા કરી અને ચંદ્રની સપાટી પર પાણીના અણુઓ શોધ્યા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch