Sat,21 September 2024,3:00 am
Print
header

વિયેતનામમાં 9 માળના એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 56 લોકોનાં મોત

હનોઈઃ વિયેતનામમાં એક ભયાનક અકસ્માત થયો છે. વિયેતનામમાં 9 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કારણે 56 લોકોનાં મોત થયા છે. આગમાં 50 થી વધુ લોકો દાઝી ગયા છે,  મૃત્યુઆંક હજુ વધી શકે છે. વિયેતનામની રાજધાની હનોઈમાં આ ઘટના બની છે. સરકારી મીડિયાએ આ અંગે જાણકારી આપી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી ચાલુ છે.

જે ઈમારતમાં આગ લાગી તે રાજધાની હનોઈના દક્ષિણ વિસ્તારમાં છે

રાજધાની હનોઈના દક્ષિણ ભાગમાં એક સાંકડી ગલીમાં સ્થિત એક ઈમારતમાં મંગળવારે મોડી રાત્રે આગ લાગી હતી.ફાયર વિભાગને જાણ થતા કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથધરી હતી. આ એપાર્ટમેન્ટમાં લગભગ 150 લોકો રહેતા હતા, ત્યાંથી બહાર કાઢવામાં આવેલા 70 લોકોમાંથી 54 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યાં છે. ગયા વર્ષે દક્ષિણ વિયેતનામના બિન્હ ડુઓંગ પ્રાંતમાં કરાઓકે પાર્લરમાં ભીષણ આગમાં 32 લોકોનાં મોત થયા હતા.

રાત્રે લાગેલી આગ બાદ દિવસ દરમિયાન બિલ્ડીંગમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યાં હતા. બિલ્ડિંગની નાની બાલ્કનીઓ લોખંડથી ઘેરાયેલી હતી, એપાર્ટમેન્ટ બ્લોકમાં માત્ર એક જ દરવાજો બહાર નીકળો હતો અને કટોકટીનો દરવાજો ન હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch